આણંદ-તારાપુર ચોકડી નજીક ગોઝારો અકસ્માત, માતેલા સાંઢની માફક આવી રહેલા ટ્રકે ત્રણ લોકોને આપ્યું દર્દનાક મોત

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો અકસ્માત(Accident)ને લઈને આણંદ(Anand)ના તારાપુર(Tarapur)થી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આણંદના તારાપુરમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી…

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો અકસ્માત(Accident)ને લઈને આણંદ(Anand)ના તારાપુર(Tarapur)થી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આણંદના તારાપુરમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે મોડી રાત્રે આણંદની તારાપુર મોટી ચોકડી પર ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારી જતા દર્દનાક અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના દર્દનાક મોત નિપજ્યા છે અને અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારબાદ તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બે બાળકો અને એક વૃદ્ધનું મોત:
મળતી વિગતો મુજબ તારાપુરની મોટી ચોકડી પર ગઈ રાત્રે માતેલા સાંઢની જેમ આવી ચડેલા ટ્રકે આઠ લોકોને અડફેટે લીધા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો અમરેલી જિલ્લાના રાજુલાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અકસ્માતની દર્દનાક ઘટનામાં બે બાળકો અને એક વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત રાત્રીના અઢી વાગ્યાની આસપાસ થયો હોવાની વિગતો પણ સામે આવી રહી છે. તારાપુર પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *