બહુચર્ચિત આર્યન મોદી મર્ડર કેસમાં પોલીસને હાથ લાગી મોટી સફળતા, PIને સસ્પેન્ડ કર્યા બાદ વધુ 7 ઈસમ વિરુદ્ધ જાણો શું કરાઈ કાર્યવાહી?

Aryan Modi murder case: હાલમાં લોકોમાં બહુચર્ચિત બનેલ આર્યન મોદી હત્યા કેસમાં પોલીસ મહત્વની કડીઓ અને પુરાવાઓ સુધી પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે, આર્યન મોદી ને આદર્શ સાયન્સ કોલેજ(Adarsh Science College)થી અજાણ્યા હત્યારાઓ કારમાં અપહરણ(Kidnapping) કરી લઈ ગયા હતા. ત્યાર બાદ તેને અજાણી જગ્યાએ જઈ સતત ટોર્ચર કરવામાં આવ્યો હતો અને હત્યારાઓ દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. એટલેથી જ અટક્યા જ ન હતા, પરંતુ આ હત્યારાઓએ સામૂહિક ક્રાઇમમાં આર્યન મોદીને ઝેરી પ્રવાહી પીવડાવી અને ફેંકી દીધો હતો. જેમાં ઢોરમાર, અસહ્ય ત્રાસ અને ત્યાર બાદ ઝેરી પદાર્થ પીવડાવતા આર્યન મોદીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જોકે સારવાર દરમિયાન ખાનગી વેદાંતા હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. જોકે ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ બીછાનેથી આર્યન મોદી દ્વારા આરોપીઓ એ કેવીરીતે તેની સ્કૂલમાંથી ધાકધમકી એ અપહરણ કરી બળજબરીપૂર્વક ઝેર પીવડાવી તેની હત્યા કરવા ઝેરી પ્રવાહી પીવડાવવામાં આવ્યું હતું. તે કેફિયત અનુસારનું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂનું મરણોત્તર નિવેદન નોંધવવામાં આવ્યું હતું અને અપરાધીઓ વિરુદ્ધનો આ મજબૂત પુરાવો હોય પોલીસ દ્વારા ત્યાર બાદ હત્યારાઓને શોધવા કવાયત હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, ગઈકાલે જ પાલનપુર પૂર્વના PI જે.પી દેસાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે પોલીસની કાર્યવાહીમાં 7 જેટલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે પૈકી 1 વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. તો બીજી બાજુ મૃતક આર્યન મોદીના કપડાં અને બુટ FSL માટે મોકલી દેવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા અત્યાર સુધી આદર્શ સાયન્સ કોલેજથી ડેરી રોડ સુધીના તમામ સીસી ટીવી ફૂટેજ કબજે કરી લીધા છે. તો વળી કોલેજનો ડીવીઆર પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે.આ ગુનામાં આર્યનનું અપહરણ જે કારમાં કરવામાં આવ્યું હતું તે કાર પણ જપ્ત કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા મોદીના મિત્ર સાથે રાખી તે સમયે બનેલ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે તો વળી પોલીસ દ્વારા મહત્વની કડી રૂપે એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે અને આર્યન મોદી સાથે જેનું પ્રેમ પ્રકરણ માનવામાં આવી રહ્યું છે તે યુવતીને પણ પોલીસ સ્ટેશન બોલાવી પોલીસ દ્વારા તેનું નિવેદન નોંધવામાં છે અને જેના આધારે પોલીસ દ્વારા મહત્વના પુરાવા એકત્ર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આ ચકચારી ઓનર કિલિંગ ઘટનામાં આર્યન મોદીના પિતા પાસેથી મળેલ હકીકત જોતા આર્યનને તેની કોલેજમાંથી કોઈનો પ્રથમ કોલ આવ્યો હતો અને તે વ્યક્તિ અને અન્યોએ તેને બોલાવી અપહરણ કરવામાં આવ્યું હતું. આર્યન મોદીનાં પિતાએ જણાવવામાં આવ્યું હતું કે “મારા પુત્રની ફી ભરવાની હોઇ, ગુરુવારના રોજ તેની બેગમાં પૈસા મૂક્યા હતા અને ફી ભરાઇ કે નહિ તેની ખરાઇ કરવા મેં તેને 12-30 કલાક આજુબાજુ ફોન કર્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે, ફીસ ભરાઈ ગઈ છે, રસીદ આપવાની બાકી છે. મને ફોન આવ્યો હતો કે કોઈ ભરતભાઈ બોલવી રહ્યા છે. કોઈ ઓળખીતા હશે જેથી તેમને મળીને આવું છું. ત્યાર બાદ તમને ફોન કરું તેવી વાત તેણે મને કરી હતી.

વધુમાં તેમના પિતાએ જણાવતા કહ્યું હતું કે, મારો પુત્ર બપોરે 2 વાગે ઘેર આવી જાય પણ તે દિવસે ન આવતા મેં તેને ફોન કર્યો હતો કે કેમ ઘેર નથી આવ્યો ત્યારે તે ગભરાય ગયો હતો અને મને કહ્યું કે હું આવું છું. મને લાગે છે કે, તે સમયે તે આરોપીઓનાં કબજામાં હતો અને તેને મારવામાં આવી રહ્યો હતો. જોકે અમે બહાર જતા હોય ત્યારે ઘરની ચાવી અહીં મૂકી જઈએ છીએ, લઈ લેજે તેમ મેં કહ્યું હતું.

પરંતુ જોકે સાંજે અમે 4:30 વાગ્યે પાછા આવતા પણ તે દેખાયો ન હતો. જેથી તેની મમ્મી એ ફોન કર્યો તો તેણે ફોન પણ ઉપાડ્યો નહીં અને તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. જો કે ત્યારબાદ મેં ફોન કર્યો ત્યારે તેને ફોન ઉપાડ્યો અને ગભરાયેલા અવાજમાં તેમણે કહ્યું કે, પપ્પા હું આવી જઈશ. આમ આરોપીઓના કબજામાં હોવા પોતાના મમ્મી-પપ્પા ચિંતા ના કરે તે માટે આર્યન મોદીએ કોલ રીસીવ કરી લીધો હતો. જોકે આ હત્યારાઓ ઝડપથી પકડાય અને મારા પુત્રના હત્યારાઓને ફાંસી થાય તેવી હું માંગ કરું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *