‘ઉંમર એ આંકડાથી વિશેષ કઈ નથી’ દીકરીને જોઈને 41 વર્ષની ઉંમરે 12માંની પરીક્ષા આપી રહ્યા છે સુરતના આ પિતા

સુરત(Surat): આપણે સૌ જાણીએ છીએ કે, ધોરણ 10માં અને 12માંની પરીક્ષાઓ ચાલુ થઈ છે. ઘણીવાર આપણે વાતો સાંભળી હોઈ છે કે,પરીક્ષામાં નાપાસ થવાની બીકે અથવા…

સુરત(Surat): આપણે સૌ જાણીએ છીએ કે, ધોરણ 10માં અને 12માંની પરીક્ષાઓ ચાલુ થઈ છે. ઘણીવાર આપણે વાતો સાંભળી હોઈ છે કે,પરીક્ષામાં નાપાસ થવાની બીકે અથવા તો પરીક્ષામાં નાપાસ થતા માં બાપે આપેલા ઠપકાના હિસાબે યુવાન/યુવતીએ આપઘાત કરી લે છે. ત્યારે અમે તમને એક એવા યુવાનની વાત કરવા જઈ રહ્યા છીએ, જે આજે 41 વર્ષની ઉંમરે 12માં ની પરીક્ષા આપી રહ્યા છે. છે ને નવાઈ ની વાત! જે આજના પરીક્ષા આપતા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત(Source of inspiration) કહેવાય. કારણકે આજનો યુવાન 10 કે 12ની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી હતાશ, નિરાશ અને ફરીવાર નાપાસ થવાના ડરથી પોતાનો અભ્યાસ છોડી દેતા હોય. ત્યારે કમલેશભાઈ ભીખાભાઈ કોરાટ ઉર્ફે પિન્ટુભાઈ 12ની પરીક્ષા આપવા જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કમલેશભાઈ કોરાટ(Kamleshbhai Korat) અમરેલી(Amreli) જિલ્લાના સાવરકુંડલા(Savarkundla) તાલુકાના મોલડી(Moldi) ગામના વતની છે અને હાલ સુરતના મોટા વરાછા(Mota varachha) વિસ્તારમાં રહે છે.

આજના યુવાન અને યુવાનોના માં-બાપ માટે કમલેશ ભાઈ પ્રેરણા આપવા માંગે છે કે, પરીક્ષામાં નાપાસ થવાના ડરના હિસાબે અથવા તો હું નાપાસ થઈશ તો લોકો મને શુ કહેશે એના હિસાબે નાસીપાસ થયા વગર અને જરા પણ ડર્યા વગર પરીક્ષા આપો. તમને સફળતા કોઈ પણ ઉંમરે મળી શકે એના કોઈ માપદંડ ન હોઈ. એમ પરીક્ષા પણ કોઈ પણ ઉંમરે આપીને સફળતા મેળવી શકાય એવી હકારાત્મક પ્રેરણા કમલેશ ભાઈ જ્યારે પરીક્ષા આપે છે તેમાંથી વિધાર્થીઓને મળશે. કમલેશ ભાઈ પાસ થશે કે નપાસ થશે એ બે નંબરની વાત છે પણ કમલેશ ભાઈએ આ ઉંમરે પરીક્ષા આપવાનો જે નિર્ણય લીધો એને સલામ છે. આ નિર્ણય પરથી કહી શકાય કે, ભણવાની કોઈ ઉંમર નથી હોતી.

જાણો કોણ છે આ કમલેશભાઈ ભીખાભાઈ કોરાટ:
સુરત મોટા વરાછા માં રેહતા મૂળ મોલડી ગામ તાલુકો સાવરકુંડલાના કમલેશભાઈ કોરાટ 41 વર્ષ ની ઉંમરે ધોરણ 12 ની પરીક્ષા આપી રહ્યા છે. આ ઉંમરે કમલેશભાઈ લોકોને પ્રેરણા આપે છે કે લોકો ધારે તો કોઈ પણ નાની કે મોટી અડચણ તેમને કોઈ પણ વસ્તુ મેળવવા રોકી શકે નહી. તેમજ શિક્ષણ મેળવવાની ઈચ્છા હોય તો તેને ઉંમર જેવો પહાડ પણ તોડી લોકો એ હાસલ કરી શકે છે. કમલેશભાઈ એક મોટા ઉદાહણરૂપ છે જે લોકો ને મનમાં એમ હોય કે મોટી ઉંમર માં શિક્ષણ ના મેળવી શકાય કે હવે ઉંમર થઈ ગઈ હવે નવું કઈ ના કરાય એવા લોકો એ કમલેશ ભાઈ માંથી પ્રેરણા લેવા જેવી છે. ઉંમર એ માત્ર આંકડા થી વિશેષ કઈ નથી.

ધોરણ 10 અને 12 માં નાપાસ થઈને અભ્યાસ છોડી દેનારા યુવાનોએ ખાસ વાંચવા જેવું:
ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થઈ છે ત્યારે આપણે વાત કરવી છે કમલેશભાઈ કોરાટ(ગામ: મોલડી)ની કે જેઓ પોતાની 41 વર્ષ ની ઉંમરે ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યા છે અને પોતાના અભ્યાસમાં નાપાસ થઈને અધ વચ્ચેથી નિરાશ, હતાશ અને ફરી વખત નાપાસ થવાના ડરે પોતાનો અભ્યાસ છોડી દેનારા યુવાનોને કમલેશભાઈ પ્રેરણા આપી રહ્યા છે.

પરીક્ષામાં નાપાસ થઈને આજના યુવાનો જ્યારે પોતાનો અભ્યાસ છોડી દે છે અથવા તો નિરાશ થઈને ડિપ્રેશનમાં આવી જાય છે ત્યારે ગયા વર્ષે કમલેશ ભાઈ એ પરીક્ષા આપી હતી પણ‌ તેઓ બે વિષયમાં નાપાસ થયા હતા તેઓ‌ જરા ગભરાયા વગર આ વર્ષે ફરી પરીક્ષા આપી રહ્યા છે.આવા કિસ્સા સમાજ ના યુવાનો માટે પ્રેરણા નો સ્ત્રોત તરીકે ઉભરી આવે છે. આ બનાવ એ પણ શિખવાડે છે કે ડર થી ભાગવા કરતા એને સહજતા થી લઈને એનો સામનો કરીને એના પર વિજય પ્રાપ્ત કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *