સોશિયલ મીડિયા પર લાઈવ આવીને યુવતીએ ગટગટાવ્યું ઝેર- કારણ જણાવતા કર્યો મોટો ધડાકો

Azamgarh ate poison live on social media: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના આઝમગઢ (Azamgarh)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, અહીં એક યુવતીએ સોશિયલ મીડિયા…

Azamgarh ate poison live on social media: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના આઝમગઢ (Azamgarh)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, અહીં એક યુવતીએ સોશિયલ મીડિયા (Social media) પર લાઈવ આવીને આત્મહત્યા (suicide)નો પ્રયાસ કર્યો હતો. મામલો બિલરિયાગંજ પોલીસ સ્ટેશન (Bilariyaganj Police Station) વિસ્તારના ગદ્દોપુર ગામનો છે. યુવતીએ વીડિયોમાં જણાવ્યું કે તેના પરિણીત પ્રેમીએ તેની સાથે દગો કર્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. વાયરલ વીડિયોમાં યુવતીએ જણાવ્યું કે તેનું કુંદન નામના યુવક સાથે અફેર હતું. લગ્નના બહાને તેણે યુવતી સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે પીડિતાને ખબર પડી કે યુવક પહેલેથી જ પરિણીત છે તો તે આઘાતમાં સરી પડી હતી.

વીડિયોમાં યુવતીએ ઝેર પી લેતા કહ્યું કે, જો મને કંઈ થશે તો કુંદન અને તેનો પરિવાર જવાબદાર છે. જો હું ઝેર પીને મરીશ તો પોલીસે પ્રેમી કુંદન, તેની પત્ની, ભાઈ અને પિતા સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. મને ન્યાય જોઈએ છે.” હાલ પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે. તે જ સમયે, યુવતીની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

મિત્રને વીડિયો કોલ કરીને યુવકે ફાંસો ખાઈ લીધો:

આ પહેલા કાનપુરના ઘાટમપુરથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. 16 મેની મધ્યરાત્રિએ એક યુવકે તેના મિત્રને વીડિયો કોલ કરીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાનું કહ્યું હતું. મિત્રની જાણ પર પરિવારજનો આખી રાત તેની શોધ કરતા રહ્યા. પછી બીજા દિવસે સવારે ગામથી દૂર એક ઝાડ પર તેની લાશ લટકતી મળી આવી. પોલીસના જણાવ્યા અનુસાર યુવકના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટમાં પ્રેમ પ્રકરણના કારણે આપઘાત કર્યાનું લખવામાં આવ્યું છે.

યુવક હરિયાણાના પાણીપતમાં નોકરી કરતો હતો:

મળતી માહિતી મુજબ, મણિયાપુર ગામના રહેવાસી રાજનારાયણ વિશ્વકર્માનો 22 વર્ષીય પુત્ર વિનાયક વિશ્વકર્મા પાણીપતમાં ખાનગી નોકરી કરતો હતો. 11 મેના રોજ તેઓ અહીં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારબાદ 16 મેની રાત્રે તે બાઇક દ્વારા ગામથી દૂર એક બગીચામાં પહોંચ્યો હતો.

ત્યાંથી તેણે પાણીપતમાં તેના રૂમમેટ કુલદીપ કુશવાહાને વીડિયો કોલ કર્યો અને ફાંસી લગાવીને આત્મહત્યા કરવાની વાત કહી. કુલદીપે આ અંગે વિનાયકના પરિવારને જાણ કરી હતી. સગાસંબંધીઓએ મધરાત બાદ ગામની આસપાસ તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે તેની લાશ ઝાડ પર લટકતી મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *