દેવદિવાળીના જ દિવસે પતિ-પત્નીએ સજોડે કરી લીધો આપઘાત, ત્રણ સંતાનો થયા નિરાધાર

ભાવનગરમાં આજ રોજ દેવદિવાળીએ જ કરૂણ બનાવ બહાર આવ્યો છે. ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં આંબલા ગામે એક દંપતીએ સજોડે આત્મહત્યા કરી તેમજ જિંદગી ટૂંકાવી લેતા હાહાકાર મચી ગયો છે. બનાવની ઇન્સાઇડ સ્ટોરી જાણીને તમને આંચકો લાગે તેવી હકિકતો બહાર આવી રહી છે. જોકે, આ આત્મહત્યા કરનાર દંપતી 35 વર્ષની ઉંમરનું જ હતું જેનાં લીધે તેમનાં બાળકો નિરાધાર થઈ ગયા છે.

ઘટનાની વિગત એવી છે કે, આજ રોજ સિહોરનાં આંબલા ગામે એક દંપતીએ આત્મહત્યા કરી લીધી હોવા અંગેનાં સમાચારો બહાર આવ્યા છે. મૃતક ભાવુબેન તેમજ ચકુભાઈ વાઘેલાએ આજ રોજ ડુગરની ધાર પર જઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. જોકે, આ કરૂણ બનાવમાં નિર્દોશ સંતાનો નિરાધાર બની ગયા છે.

જિંદગી ટૂંકાવનાર ચકુભાઈ જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો. ચકુભાઈને સંતાનોમાં બે દીકરા તેમજ એક દીકરી છે. ચકુ વાઘેલા 303નાં ગુનામાં રાજકોટ શહેરમાં જેલવાસ ભોગવ્યો હતો તેમજ ગઈકાલનાં રોજ તેનાં પેરોલનો અંતિમ દિવસ હતો.

જેલમાં જવાનાં છેલ્લે દિવસે જ ચકુભાઈ વાઘેલાએ પત્ની ભાવુબેનની સાથે આત્મહત્યા કરી લીધી હતી. તેમણે આંબલા ગામની ધારે આવેલા ડુંગરે જઈને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, આ તેમનાં આ પગલાનાં લીધે ત્રણ સંતાનો નિરાધાર બની ગયા છે.

બનાવની જાણ થતા પરિવાર જનોએ પોલીસ તેમજ એમ્બ્યુલન્સને બોલાવી હતી તેમજ તેમનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યા છે. જોકે, તપાસનાં છેલ્લે તેમણે કોઈ છેલ્લી ચિઠ્ઠી લખી છે કે, નહીં તે જાણવા મળશે પણ આ બનાવના લીધે સમગ્ર સિહોર પંથકમાં ચકચાર મચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *