રખડતાં ઢોરોને લઈ ભુપેન્દ્ર સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય- તાબડતોડ શરૂ કરાશે આ ખાસ ઝુંબેશ

ગુજરાત(Gujarat): રાજ્યના નાગરિકોને રખડતાં ઢોર(Stray cattle)ના ત્રાસમાંથી મુક્ત કરવા માટે ભુપેન્દ્ર સરકાર તબક્કાવાર અનેક મોટા અને મહત્વના નિર્ણયો લઇ રહી છે ત્યારે આ અંગે આગામી…

ગુજરાત(Gujarat): રાજ્યના નાગરિકોને રખડતાં ઢોર(Stray cattle)ના ત્રાસમાંથી મુક્ત કરવા માટે ભુપેન્દ્ર સરકાર તબક્કાવાર અનેક મોટા અને મહત્વના નિર્ણયો લઇ રહી છે ત્યારે આ અંગે આગામી સમયમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ(Rishikesh Patel) દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ઋષિકેશ પટેલએ જણાવતા કહ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગામડાના વિસ્તારમાં આ ઝુંબેશ હેઠળ એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે 50 હજાર જેટલા રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં, ખસીકરણ પછી  એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર સંભાળની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવશે. મંત્રી ઋષિકેશ પટેલએ આ સંદર્ભે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, ‘રાજ્યમાં રખડતા ઢોરની જાળવણી માટે સરકાર દ્વારા રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને 6 ઝોન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં 88 મળીને કુલ 105 જેટલા કેટલ પોન્ડ્સ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.’

મંત્રી ઋષિકેશ પટેલએ વધુમાં કહ્યું હતું કે, આ આખલાઓના ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓના સંકલનથી હાથ ધરવામાં આવશે. આ અધિકારીઓ ટીમમાં 1 પશુચિકિત્સા અધિકારી, 2 પશુધન નિરિક્ષક અને 2 હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત ખસીકરણની કામગીરી સમયે આખલાઓને ઈયર ટેંગીગ પણ કરવામાં આવશે. ત્યાર બાદ ખસીકરણ કર્યાના એક અઠવાડિયા બાદ આખલાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલી દેવામાં આવશે.

ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગામડાના વિસ્તારમાં આ ઝુંબેશ હેઠળ અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. સરકાર દ્વારા રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને 6 ઝોન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં 88 મળીને કુલ 105 જેટલા કેટલ પોન્ડ્સ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ બાબતને લઈને ખાસ કામગીરી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રખડતા ઢોરનો આંતક વધી ગયો હોવાથી આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *