એવું તો શું દુઃખ આવી પડ્યું કે, પરિવારના દરેક સભ્યોએ એકસાથે ગટગટાવી લીધું ઝેર- પાંચ લોકોના મોત

અવારનવાર અનેક આપઘાતના બનાવો સામે આવતા રહેતા હોય છે. ત્યારે હવે આવો જ એક સામુહિક આપઘાતનો કિસ્સો સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. બિહાર(Bihar)માં…

અવારનવાર અનેક આપઘાતના બનાવો સામે આવતા રહેતા હોય છે. ત્યારે હવે આવો જ એક સામુહિક આપઘાતનો કિસ્સો સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. બિહાર(Bihar)માં એક પરિવાર પર દેવું વધી જતા એક સાથે આખા પરિવારે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. નવાદા નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યૂ એરિયા મોહલ્લામાં રહેતા કેદાર લાલ ગુપ્તાએ બુધવારે મોડી રાત્રે તેની પત્ની અને ચાર બાળકો સાથે ઝેર ગટગટાવી લીધું હતું. પરિવારના પાંચ સભ્યોના મોત નીપજ્યા હતા, જ્યારે એકની હાલત ગંભીર છે, જેને ડૉક્ટરોએ પાવાપુરી વિન્સમાં રિફર કર્યા હતા, પરંતુ ત્યાંથી તેને પાછો પટના રિફર કરવામાં આવ્યા છે.

મૃત્યુ પામેલાઓમાં ઘરના વડા કેદાર લાલ ગુપ્તા, પત્ની અનિતા કુમારી અને ત્રણ બાળકો પ્રિન્સ કુમાર, શબનમ કુમારી અને ગુડિયા કુમારીનો સમાવેશ થાય છે, જ્યારે એક પુત્રી સાક્ષીની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેને પહેલા પાવાપુરી વિન્સમાં રિફર કરવામાં આવી હતી, પરંતુ પછી તેને નવાદા જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં પણ ગંભીર હાલત જોતા સાક્ષીને હવે પટના રીફર કરવામાં આવી છે.

કેદારલાલ ગુપ્તા શહેરના વિજય બજારમાં ફળોની દુકાન ચલાવતા હતા અને તેમના પર ઘણું દેવું હતું. દેવાને લઈને તેને ખૂબ પરેશાન કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે બધા કંટાળી ગયા અને શહેરમાં એક કબર પર જઈને ઝેર ગટગટાવી લીધું હતું. પરિવારના પાંચ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક દીકરીની હાલત નાજુક હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પરિવાર પર 10 થી 12 લાખ રૂપિયાનું દેવું હતું
ઝેર ગટગટાવ્યુ હોવાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન પરિવારના વડા કેદાર લાલ ગુપ્તાની હાલત થોડી સારી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે તેણે ઝેર કેમ ખાધું? તો કેદાર લાલ ગુપ્તાએ કહ્યું કે પરિવાર પર 10-12 લાખ રૂપિયાનું દેવું છે, એટલે પરિવારે રાજીખુશીથી ઝેર પી લીધું છે. આ પછી કેદાર લાલ ગુપ્તાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું મૃત્યુ થયું.

પુત્રએ ઝેર પીધા પહેલા વીડિયો બનાવ્યો હતો
કેદારલાલ ગુપ્તાના પુત્ર પ્રિન્સે ઝેર પીતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોમાં તે કહે છે, ‘બજારમાંથી કેટલાક લોકો પાસેથી લોન લીધી હતી અને તેઓ અમને ખૂબ ત્રાસ આપતા હતા, અમે પૈસા પરત કરવા માટે થોડો સમય માંગ્યો હતો, પરંતુ લોકો સ્વીકારવા તૈયાર નહોતા અને વારંવાર ધમકીઓ આપતા હતા, જેને કારને બધાએ ઝેર પી લીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *