રખડતા ઢોરે લીધો વધુ એક વ્યક્તિનો જીવ, આખલાએ અડફેટમાં લેતા બાઈક ચાલકનું મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): આપણે સૌ અવારનવાર રખડતા ઢોરને કારણે થતા અકસ્માત(Accident)ના બનાવો વિશે કોઈના કોઈ માધ્યમથી સાંભળતા હોઈએ છીએ. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો બોટાદ(Botad) જિલ્લાના ગઢડા(Gadhada) તાલુકામાં રખડતા ઢોરનો આતંક સામે આવતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે.

મહત્વનું છે કે, જેમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ઉગામેડી ગામે આખલાએ અડફેટમાં લેતા બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર માટે બોટાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર, ઉગામેડી ગામમાં રહેતા અને જૈનમ મરચાની પેઢી ધરાવતા ભરતભાઈ પોતાની બાઈક પર પેઢી બાજુ જઈ રહ્યાં હતા. આ દરમિયાન રખડતા આખલાએ બાઈક ચાલકને અડફેટમાં લેતા તેઓ બાઈક પરથી નીચે પટકાયા હતા અને આ ઘટનામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

આથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ભરતભાઈને બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.

અમે તમને જણાવી દઈએ કે, આજે સૌરાષ્ટ્રમાં રખડતા ઢોરના આતંકની આ પ્રકારની અનેક ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાવનગર ખાતે પણ રખડતા ઢોરના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિ મોતને ભેટ્યો હતો. આ સાથે જેતપુરમાં રખડતા ઢોરે સ્કૂલ રિક્ષાને અડફેટમાં લીધી હતી અને જેમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *