આઝાદીથી કોંગ્રેસના ફાળે રહેલી આ સીટો પર ભાજપનું ‘કમળ’ ખીલ્યું- જાણો કોની રણનીતિ કામ કરી ગઈ?

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપ(BJP)ને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપ(BJP)ને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે. ભાજપે 2022 ની ચૂંટણીમાં અનેક એવા રેકોર્ડ પણ તોડ્યા છે, જે આજદિન સુધી ક્યારેય તૂટ્યા જ ન હતા. જો વાત કરવામાં આવે તો ભાજપ કોંગ્રેસ(Congress)ની એવી બેઠકો જીતવામાં સફળ રહ્યું, જ્યાં ક્યારેય ભગવો લહેરાયો જ ન હતો. ક્યાંક આઝાદી બાદ તો ક્યાંક ગુજરાતની સ્થાપના બાદ આ બેઠકો પર માત્રને માત્ર પંજો અડીખમ હતો, પરંતું પહેલીવાર ભાજપે આ બેઠકો કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે.

મહત્વનું છે કે, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના 5 અભેદ્ય કિલ્લા સર કરવામાં ભવ્ય સફળતા મેળવી છે. ભાજપે અત્યાર સુધી ક્યારેય ન જીતેલી 5 બેઠકો પર ભગવો લહેરાવ્યો છે. ગુજરાત મહારાષ્ટ્રથી અલગ રાજ્ય થયું, ત્યારથી આ બેઠકો કોંગ્રેસ પાસે જ રહી હતી. પરંતું આ બેઠકો પર હવે ભાજપનું કમળ ખીલ્યું છે.

આ પાંચ બેઠક પર ક્યારેય નહોતું ખીલ્યું કમળ:
પાંચ બેઠકોની જો વાત કરવામાં આવે તો બોરસદમાં ભાજપના ઉમેદવાર રમણ સોલંકીની જીત થઈ છે.  ઝઘડિયા બેઠક પર ભાજપના રિતેશ વસાવાની જીત થઇ છે. તાપીની વ્યારા બેઠક પર ભાજપના મોહન કોંકણીની જીત થઇ છે. ખેડાની મહુધા બેઠક પર ભાજપના સંજય મહીડાની જીત થઇ છે. દાહોદના ગરબાડા બેઠક પર ભાજપના મહેન્દ્ર ભાભોરની જીત થઇ છે.

12 ડિસેમ્બરના રોજ નવી સરકારની થશે શપથવિધિ:
ભાજપની પ્રચંડ જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જીત પછી સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને એક બીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. જે બાદમાં 12 ડિસેમ્બરના રોજ નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરવામાં આવી હતી. જોકે અહી શપથવિધિ કયા યોજાશે તેને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

અમે તમને જણાવી દઈએ કે, નવી સરકારની શપથવિધિ સંભવિત રીતે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ યોજાઇ શકે છે. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે અને શપથવિધિ સમારોહ યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *