12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ- અમિત શાહ સહીત જાણો કોને-કોને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન

ગુજરાત(Gujarat): રાજ્યમાં ભાજપ(BJP)ની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેને લઈને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગમે ત્યારે રાજ્યપાલની મુલાકાત…

ગુજરાત(Gujarat): રાજ્યમાં ભાજપ(BJP)ની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેને લઈને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગમે ત્યારે રાજ્યપાલની મુલાકાત લઈ શકે છે. જ્યાં તેઓ સરકાર રચવાનો દાવો કરશે. જોકે અહિયાં મહત્વની વાત તો એ છે કે, આ તમામ પ્રક્રિયા અગાઉ જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સહિત આખું મંત્રીમંડળ રાજીનામું આપશે. આ બાજુ જે શપથવિધિ માટે દિવસ નક્કી કરવામાં આવે તે જ દિવસે ધારાસભ્ય દળની બેઠક યોજાશે.

નવી સરકારના મંત્રીમંડળમાં કોને મળશે સ્થાન? ચર્ચાઓ શરુ
મહત્વનું છે કે, 12 ડિસેમ્બરે યોજનારા શપથવિધિ કાર્યક્રમ પહેલા હવે નવી સરકારના મંત્રીમંડળમાં કોને કોને સામેલ કરવામાં આવશે તેને લઈને ચર્ચાઓ તેજ થઈ ચૂકી છે. એક તર્ક અનુસાર જો વાત કરવામાં આવે તો હર્ષ સંઘવીનું મંત્રી બનવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. તો સાથે જ શંકર ચૌધરીનું મંત્રીપદ પણ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઋષિકેશ પટેલ, રમણલાલ વોરા, જીતુ વાઘાણીને મંત્રી પદ મળી શકે તેવું લાગી રહ્યું છે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને પણ દાદાની નવી સરકારમાં મંત્રી પદ મળી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો વેજલપુરના અમિત ઠાકર અને એલિસબ્રિજના અમિત શાહને પણ નવી સરકારમાં મંત્રી પદ મળી શકે તેવી ચર્ચાઓ શરુ થઇ ગઈ છે.

જણાવી દઈએ કે, આ સાથે અમૂલ ભટ્ટ, હસમુખ પટેલ, કુંવરજી બાવળીયા, ડૉ. દર્શિતા શાહ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરાને નવી સરકારમાં મંત્રીપદ મળી શકે છે. વધુમાં જો વાત કરવામાં આવે તો દેવાભાઈ માલમ, સંજય કોરડીયા, જે.વી.કાકડીયા, હીરાભાઈ સોલંકી, પંકજ દેસાઈ, અર્જૂનસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર અથવા સી.કે. રાઉલજીનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થઇ શકે છે.

સાથે જ જો વાત કરવામાં આવે તો મનીષાબેન વકીલ અથવા અક્ષય પટેલ, દર્શના વસાવા અથવા ડી.કે. સ્વામી, મુકેશ પટેલ અથવા ગણપત વસાવા, સંગીતા પાટીલ અથવા વિનુભાઈ મોરડીયા, વિજય પટેલ અથવા જીતુભાઈ ચૌધરી, કનુભાઈ દેસાઈ અથવા નરેશ પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી ચર્ચાઓ શરુ થઇ ગઈ છે.

12 ડિસેમ્બરના રોજ નવી સરકારની થશે શપથવિધિ:
ભાજપની પ્રચંડ જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જીત પછી સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને એક બીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. જે બાદમાં 12 ડિસેમ્બરના રોજ નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરવામાં આવી હતી. જોકે અહી શપથવિધિ કયા યોજાશે તેને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

અમે તમને જણાવી દઈએ કે, નવી સરકારની શપથવિધિ સંભવિત રીતે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ યોજાઇ શકે છે. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે અને શપથવિધિ સમારોહ યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *