હવે તો શેરીએ-શેરીએ ફરીને માંફી માગી રહ્યા છે ભાજપના કાર્યકરો, અમારાથી ભૂલ થઈ ગઈ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં ગયેલા નેતા હવે ફરી કોંગ્રેસમાં પાછા વળી રહ્યા છે. ચૂંટણી ટાણે ભાજપનો સાથ આપવા પર પસ્તાવો થઈ રહ્યો છે. હગલી જિલ્લાના ધનિયાખલીથી લઈને બીરભૂમ જિલ્લાના લાભપુર, બોલપુર અને સૈંથિયા સુધઈ ભાજપના આ કાર્યકર્તાઓ શેરી શેરી એ જઈને ભાજપને સમજવામાં ભૂલ થઈ ગઈ છે અમારી એમ કહે છે.

ભારતીય જનતા પાર્ટી પણ આરોપ લગાવી રહ્યા છે કે, રાજ્યમાં અમારા કાર્યકર્તાઓને ધમકાવી રહ્યા છે. ત્યારે આવા સમયે ભાજપના કાર્યકર્તાઓ તરફથી માફી માગવાનું કારણ બતાવતા કહ્યું કે, ભાજપમાંથી મુકુલ રોયે શુક્રવારે ફરી એક ટીએમસીમાં પાછા આવવાનું વિચાર્યુ અને ભાજપને અલવિદા કહી દીધું. તો વળી પૂર્વ મંત્રી રાજીવ બેનર્જી પણ ચૂંટણી ટાણે ટીએમસી છોડીને ભાજપમાં ગયા હતા. તેમણે હવે ટીએમસીના મહાસચિવ સાથે મુલાકાત કરી છે, થોડા દિવસોમાં જ ઘર વાપસી કરવાનું સામે આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, હવે ભાજપના કાર્યકરો ટીએમસી પાસે સમુહમાં માફી માંગી રહ્યા છે. બોલપુરના વોર્ડ થયેલી એક જાહેર સભામાં કહ્યુ હતું કે, અમને ભાજપ તરફથી લાલચ આપવામાં આવી હતી. ભાજપ વિશ્વાસઘાતુ પાર્ટી છે. અમે મમતા બેનર્જીના વિકાસકામનો ભાગ બનવા માગીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *