BJP વાળાએ કહ્યું ‘આપ છોડી ભાજપમાં આવી જાવ, CBI-ED કેસ બંધ થઇ જશે’ મનીષ સિસોદિયાએ એવો જડબાતોડ જવાબ આપ્યો કે…

સીબીઆઈ (CBI) ના દરોડા અને નોટિસને લઈને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Delhi Deputy Chief Minister Manish Sisodia) એ ભાજપ પર નિશાન સાધ્યું છે. મનીષ…

સીબીઆઈ (CBI) ના દરોડા અને નોટિસને લઈને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Delhi Deputy Chief Minister Manish Sisodia) એ ભાજપ પર નિશાન સાધ્યું છે. મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું છે કે ભાજપનો સંદેશ મારી પાસે આવ્યો છે – “આપ” છોડી અને ભાજપમાં જોડાઓ, CBI EDના તમામ કેસ બંધ કરી દેશે. ભાજપને મારો જવાબ – હું મહારાણા પ્રતાપનો વંશજ છું, હું રાજપૂત છું, હું માથું કાપી નાખીશ પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે, તમારે જે કરવું હોય તે કરો.’

આ પહેલા સીએમ અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું હતું કે એવા સમયે જ્યારે સામાન્ય માણસ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે, કરોડો યુવાનો બેરોજગાર છે, ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો સાથે મળીને બેરોજગારી અને મોંઘવારી સામે લડવું જોઈએ. તેના બદલે તેઓ આખા દેશ સાથે લડી રહ્યા છે. રોજ સવારે ઉઠીને સીબીઆઈ-ઈડીનો ખેલ શરૂ કરે છે, આવો દેશ કેવી રીતે પ્રગતિ કરશે?

તમને જણાવી દઈએ કે સીબીઆઈએ દિલ્હીની નવી એક્સાઈઝ પોલિસીમાં કૌભાંડના આરોપને લઈને 8 લોકો વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. આ પછી આ લોકો દેશ છોડી શકતા નથી. આ યાદીમાં વિજય નાયર, સમીર મહેન્દ્રુ અને દિનેશ અરોરાના નામ પણ સામેલ છે. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે દિલ્હીની નવી લિકર પોલિસી બનાવવામાં અને લાગુ કરવામાં લિકર કંપનીઓ અને વચેટિયા સામેલ છે.

સીબીઆઈના જણાવ્યા અનુસાર- અમિત અરોરા, દિનેશ અરોરા, અર્જુન પાંડે, જે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નજીક છે, તેમણે આ એક્સાઈઝ નીતિના અમલીકરણના બદલામાં કમિશન લીધું હતું. આ મામલામાં નોંધાયેલી FIRમાં મનીષ સિસોદિયાને પ્રથમ આરોપી બનાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *