ભાવનગરના પરિવારે માતમમાં પણ માનવતા ખીલવી… બ્રેઇનડેડ મહિલાના અંગદાનથી ત્રણ લોકોને મળશે નવજીવન

Organ donation of brain-dead woman in Bhavnagar: અમદાવાદ શહેર વ્યાપારની સાથે-સાથે હવે અંગદાનના શહેર તરીકે પણ જાણીતું થઈ રહ્યું છે. ત્યારે હાલ અમદાવાદમાં વધુ એક પરિવારે અંગદાન(Organ donation of brain-dead woman in Bhavnagar) કરી માનવતા મહેકાવી છે. જેમાં એક મહિલાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાને કારણે તેઓને બ્રેઇનડેડ(Braindead) જાહેર કર્યા હતા. ત્યારબાદ પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 118મું અંગદાન થયું છે. ભાવનગરના મહુવા ખાતે રહેતા દયાબહેન ચુડાસમાને તારીખ 6 જુલાઈએ તેમનું રોડ અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં 35 વર્ષીય દયાબહેનને માથાના ભાગમાં ગંભીર પ્રમાણમાં ઇજાઓપોહચી હતી.સ્થિતિ ગંભીર બનતા આ બહેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં લાવ્યા ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર બની ચૂકી હતી. સિવિલના તબીબોએ સતત સધન સારવાર ચાલુ રાખી, પરંતુ 48 કલાકના અંતે પ્રભુને ગમ્યું એ જ થયું.સિવિલના તબીબો દ્વારા દયાબહેનને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
બ્રેઇનડેડ જાહેર થતાં ડોકટરો દ્વારા તેઓને પરિવારના લોકોને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા.

પરિવારના લોકો એ પણ અંગદાનનું મહત્ત્વ સમજીને પોતાના સ્વજન અન્યના જીવનમાં ગુંજારવ પાથરી શકે જરૂરિયાતમંદ અને પીડિતનું જીવન કાર્યક્ષમ બનાવી શકે તેવા ઉમદા ભાવ સાથે અંગદાનનો જનહિતકારી નિર્ણય કર્યો.

પરિવારના લોકોના નિર્ણય બાદ દયાબહેનને સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. 6થી 7 કલાકની ભારે જહેમતના અંતે 2 કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.

આમ ત્રણ જરૂરિયાતમંદોનું જીવન આ અંગોના પ્રત્યારોપણ બાદ સ્વાસ્થ્યસભર બનશે.સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું કે, બ્રેઇન ડેડ વ્યક્તિના પરિજનો દ્વારા કરવામાં આવતો અંગદાનનો નિર્ણય પ્રશંસનીય છે. એક સમાપ્ત થતું જીવન અન્ય લોકોના જીવનના બીજા ઇનિંગ્સની શરૂઆત કરીને અન્યને નવજીવન આપી જાય તેનાથી ઉમદા કાર્ય સમાજમાં અન્ય કોઈ જ ન હોઈ શકે. અત્યારે સુધીમાં સિવિલ હોસ્પિટલમાં ૧૧૮ અંગદાતાઓએ ૩૫૬ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *