કેનેડામાં આખે આખા પટેલ પરિવારને દર્દનાક મોત મળતા ધ્રુજી ગુજરાતની ધરા- ઓમ શાંતિ

ભારત સરકારે યુએસ-કેનેડા બોર્ડર(US-Canada border) પર ચાર ભારતીયોના મોત(Death of four Indians)ની માહિતી માંગી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે(S. Jaishankar) આ મામલે કેનેડા સરકાર(Government of…

ભારત સરકારે યુએસ-કેનેડા બોર્ડર(US-Canada border) પર ચાર ભારતીયોના મોત(Death of four Indians)ની માહિતી માંગી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે(S. Jaishankar) આ મામલે કેનેડા સરકાર(Government of Canada) પાસેથી રિપોર્ટ માંગ્યો છે. વિદેશ મંત્રીએ શુક્રવારે યુએસ-કેનેડા સરહદ પર ચાર ભારતીય નાગરિકોના પરિવારના ઠંડીથી મૃત્યુ પામ્યા બાદ શોક વ્યક્ત કર્યો હતો અને યુએસ અને કેનેડામાં ભારતીય રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. સત્તાવાળાઓ માને છે કે ઉક્ત પરિવારને આ ઠંડીનો ભોગ બનવું પડ્યું હતું જ્યારે તેઓએ હિમવર્ષા(Snowfall)માંથી પસાર થવાનો અસફળ પ્રયાસ કર્યો હતો.

અનેક ગુજરાતીઓ વિદેશ જવાની લાલચમા રૂપિયા ગુમાવી રહ્યા છે. પરંતુ કેનેડા બોર્ડર પર બનેલી ઘટના અત્યંત કરુણ છે. અમેરિકા જવાની લાલચમાં કલોલના પટેલ પરિવારને મોંઘુ પડ્યું છે. પટેલ પરિવારનું અમેરિકા જવાનુ સપનુ બોર્ડર વટે તે પહેલા જ રગદોળાયુ. ગુજરાતી પરિવાર અમેરિકા પહોંચવા માટે માઈનસ 35 ડિગ્રી હાડ થીજવતી ઠંડીમાં એકધારા 11 કલાક ચાલ્યા હતા.

આ પ્રકારની ગેરકાયદેસર ઘૂસણખોરીએ જ પટેલ પરિવારનો જીવ લીધો છે. કુલ 11 લોકો આ રીતે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહ્યા હતા, જેમાઁથી એક જ પરિવારના ચાર લોકોના કરુણ મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. મૃત્યુ પામેલામાં એક બાળક અને એક નાનકડી દીકરી પણ છે. બાકીના 7 લોકોને હાલમાં પકડી પાડવામાં આવ્યા છે. ચાર લોકોના મોત અંગે હાલ કોઈ સતાવાર પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ ન્યુઝ એન્જસી પાસેથી આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે.

અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના ચક્કરમાં 4 પટેલ નાગરિકો કેનેડા બોર્ડર પર થીજીને મોતને ભેટ્યાછે. આ ઘટનાથી ગુજરાત(Gujarat) સહીત ભારત દેશમાં ચકચાર મચી ગઈ છે. આ મૃતકો ઉત્તર ગુજરાત(North Gujarat)નાં કલોલ(Kalol) તાલુકાના પટેલ પરિવારનાં હોવાનું સામે આવ્યું છે. જેને કારણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કલોલ પહોંચી ગઈ છે. સાથે જ વિદેશ લઈ જવાના ખ્વાબ બતાવનારા એજન્ટોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે કલોલના ડિંગુચા ગામનો એક પરિવાર લાપતા થયો હોવાનુ સામે આવતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામે બળદેવભાઇ પટેલ અને તેમનો પરિવાર રહે છે. 10 દિવસ પહેલા બળદેવભાઇનો પુત્ર જગદીશ પટેલ અને તેના પત્ની તેમજ પુત્ર, પુત્રી 10 દિવસ પહેલા એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. કેનેડા ગયા પછી તેમનો સંપર્ક થયો હતો, પરંતુ ગ્રામજનો દ્વારા જાણવા મળ્યુ છે કે, છેલ્લા ત્રણ દિવસથી તેમનો કોઇ સંપર્ક થઇ રહ્યો નથી. બીજી તરફ, અમેરિકા-કેનેડા સરહદ નજીક ચાર ગુજરાતીઓના ઠંડીના કારણે મોત થવાના સમાચાર સામે આવતા ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

મૃત્યુ પામેલા લોકોની યાદી:
મૃત્યુ પામેલા પરિવારના સભ્યોમાં જગદીશભાઈ બળદેવભાઈ પટેલ (ઉ. 34) અને તેમના પત્ની ગાયત્રી બેન (ઉ. 33), પુત્રી ગોપી (ઉ. 12) અને પુત્ર ધાર્મિક (ઉ. 3) નો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *