સુરતના ચંપાબેન મુંજાણીએ અંગદાન કરી માનવતા મહેકાવી

૬૪ વર્ષીય સુરતના ચંપાબેન મુંજાણીએ અંગદાન કરી માનવતાની મહેક પ્રસરાવી છે. 64 વર્ષની ઉંમરે બ્રેઈન ડેડ થવા થી મૃત્યુ થયું હતું. ત્યારબાદ અંગ દાન થકી…

૬૪ વર્ષીય સુરતના ચંપાબેન મુંજાણીએ અંગદાન કરી માનવતાની મહેક પ્રસરાવી છે. 64 વર્ષની ઉંમરે બ્રેઈન ડેડ થવા થી મૃત્યુ થયું હતું. ત્યારબાદ અંગ દાન થકી બે વ્યક્તિઓને નવજીવન તેમના દ્વારા અપાયું છે.

મુંજાણી પરિવારના સભ્યોની એવી ઇચ્છા હતી કે ચંપાબેન તેમના અંગોનું દાન કરે. આ ભગીરથ કાર્ય કરી તેઓ બે લોકોને નવજીવન આપી ગયા.

તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તબીબોએ ચંપાબેન બ્રેઈન ડેડ થયા છે તેની જાણકારી પરિવારજનોને આપી હતી. અંતિમ શ્વાસ લીધા તે દરમિયાન અંગદાન કરવાનું તબીબોએ જણાવ્યું હતું.

તેઓ બે કિડની અને લીવર દાન કરતાં ગયા છે.તેમના આ અંગદાન થી ૪૦ વર્ષીય અમીતાબેન અને ૩૪ વર્ષીય અર્પિતા અભિષેક દવેની નવી જિંદગી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *