મુખ્યમંત્રી રૂપાણીએ કોરોના ઉપર કરી ભવિષ્યવાણી, કહ્યું આ સમયે દુર થઇ જશે વાયરસ. જાણો વધુ

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોનાને કારણે…

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોનાને કારણે ભારતમાં ત્રીજું મોત થતા ખળભળાટ મચી ગયો છે. દેશમાં આ વાયરસથી ત્રીજુ મૃત્યુ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના કસ્તુરબા હોસ્પિટલમાં મંગળવારે 64 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થઈ ચૂક્યું છે. અગાઉ પણ બે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.

વિજય રૂપાણીએ દાવો કરતાં એમ કહ્યું કે, કોરોના વાયરસ હવે થોડાં દિવસોનો મહેમાન છે. ગરમીની શરૂઆત થતાં તે અદ્રષ્ય બની જશે. ગુજરાતમાં તકેદારીના પગલાં લીધા હોવાથી હાલની સ્થિતિએ એકપણ પોઝિટીવ કેસ  જોવા મળી રહ્યો નથી. રૂપાણીએ કહ્યું કે કોરોના વાયરસ 30 થી 35 ડિગ્રી ગરમીમાં ટકી શકતો નથી એટલે ગુજરાતમાં આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધતા તેનો ફેલાવો થવાની શકતા ખુબ જ ઓછી છે

કોંગ્રેસે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા વિધાનસભાનું સત્ર સમાપ્ત કરવાની માગણી કરી હતી પરંતુ સભાગૃહે તે માગણી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકારે આગોતરાં પુરતાં પગલાં લીધા હોઇ સત્ર સમાપ્ત કરવું યોગ્ય નથી. અધ્યક્ષના નિર્ણય પહેલાં મુખ્યમંત્રીએ સભાગૃહમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં બનાસકાંઠાના પુર સમયે પણ કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરના રિસોર્ટમાં જતા રહ્યાં હતા તેમ આ વખતે કોરોના વાયરસની ગંભીર સમસ્યા છે છતાં કોંગ્રેસના ધારાસભ્યો પ્રજાને ભૂલીને જયપુર જઇ રહ્યાં છે.

રૂપાણીએ ઉમેર્યું છે કે, ‘રાજ્યનું બજેટ સત્ર ચાલે છે, બજેટ મૂવ થયું છે અને વિવિધ વિભાગની માગણીઓ-ચર્ચાઓ ચાલી રહી છે. આ સંજોગોમાં પ્રતિનિધિ તરીકે વિધાનસભાના સભ્યોએ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઇ પ્રજાહિતની રક્ષા કરવાની છે. પરંતુ કોરોનાના નામે કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં જલસા કરવા જઇ રહ્યા છે. ભૂતકાળમાં બનાસકાંઠાના પૂર વખતે જ્યારે જનતા પિડિત-દુ:ખી હતી ત્યારે પણ કોંગ્રેસીઓ બેંગલોરના રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ધૂબાકા મારતા હતા તે પ્રજા ભૂલી નથી. હવે ગુજરાતની પ્રજા કોરોનાના ભયમાં છે ત્યારે આ જ કોંગ્રેસીઓ જયપુરના રિસોર્ટમાં ધૂબાકા મારવા પહોંચ્યા છે.’

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, અમારી પાર્ટીના જનપ્રતિનિધિઓ અને રાજય સરકાર કોરોના વાયરસના ભયમાં રહેલી ગુજરાતની જનતાની ચિંતા કરીકોરોનાથી પ્રજાવર્ગોને બચાવવાના ભાવ સાથે જાનના જોખમે પણ ડર્યા વિના વિધાનસભામાં પ્રજાહિતના કામો કરી રહી છે. સરકારની સતર્કતા અને આગોતરા પગલાને પરિણામે સદનસીબે ગુજરાતમાં કોરોના વાયરસના ઝિરો પોઝિટીવ કેસ છે. આમ છતાં વાયરસની સામે તકેદારી રાખીને સરકારે રાજ્યના બાળકોની ચિંતા કરીને શાળા-કોલેજો બે સપ્તાહ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *