મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય- સીધો જ સૌરાષ્ટ્રના આ 10 જિલ્લાના ખેડૂતોને થશે ફાયદો

ગુજરાત(Gujarat): ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. પાણીની અછતના કારણે પાક ન લઇ શકતા સૌરાષ્ટ્ર(Saurashtra)ના ખેડૂતો માટે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયોમાં નર્મદાના નીર ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના લીધે અઢી લાખ એકર વિસ્તારના ખેડૂતોને ફાયદો થશે. આ એક નિર્ણયથી સૌરાષ્ટ્રના 10 જિલ્લા મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાના જળાશયોમાં નર્મદાનું પાણી મોકલવામાં આવશે.

મહત્વનું છે કે, સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવતા કહ્યું હતું કે, પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના 115 જળાશયો ભરીને 970 કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇનું પાણી પુરૂ પાડવાનો આ મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોની જરૂરીયાતની સમીક્ષા બાદ નર્મદા નદીનું પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયોને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છેઅત્રે  ઉલ્લેખનિય છે કે, આ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને કૃષિ મંત્રી રાધવજી પટેલ સાથે વિચાર વિમર્શ કરીને લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં માસ્ક ફરજીયાત પહેરવું પડશે?
કોરોનાની સંભવિત પરિસ્થિતિની સમીક્ષા બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તેમણે જણાવતા કહ્યું હતું કે, વિશ્વની અંદર કોરોનાના વધતા કેસ અંગે દેશ માટે એક ચિંતાનો વિષય બન્યો છે અને કેન્દ્ર સરકાર તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઘણા અનુભવોમાંથી આપણે સૌ પસાર થયા છીએ.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ગુજરાતમાં માસ્ક ફરજીયાત કરવા અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલએ જણાવતા કહ્યું હતું કે, કોરોનાથી બચવા જે પણ સાવચેતી રાખવાની જરૂર હોય છે તે તમામ સાવચેતી નાગરીકોએ રાખવી જોઈએ. આ ઉપરાંત સમીક્ષા બેઠક પછી આગળ કેવા પ્રતિબંધો લાદવા તે અંગે પણ આગામી સમયમાં ચર્ચા કરવામાં આવશે. હાલમાં કોઈએ વધારે ચિંતા કરવાની જરુર નથી તેમ આરોગ્યમંત્રીએ જણાવતા કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *