અસ્થિ વિસર્જન કરીને પાછા આવી રહ્યા હતા,રસ્તામાં નડ્યો અકસ્માત, 8ના મોત

મહારાષ્ટ્રના યવતમાલમાં એક પિકઅપ વેન પુલ નીચે પડી જવાથી 8 લોકોના મોત થયા છે, જેમાં 18 લોકોને ઈજા થઈ છે. અકસ્માતનો ભોગ બનનાર પરિવારજનો કોઠેશ્વર મંદિરમાં સંબંધીની અસ્થિનું વિસર્જન કરવા માટે ગયા હતા. વિધિ પૂરી કર્યા બાદ તેઓ જોડમોહા પરત ફરી રહ્યાં હતા.

તે દરમિયાન ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધું અને વેન ઝાડ સાથે અથડાઈને પુલ પરથી 25 ફૂટ નીચે પડી હતી. આ અકસ્માતને નજરે જોનારના જણાવ્યા મુજબ ઘટનામાં 6 લોકોના સ્થળ પર જ મોત થયા હતા. આ સિવાય અન્ય બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.

આ ઘટનાની જાણ થતા લોકો મદદ માટે અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. આસપાસના પોલીસ સ્ટેશનની પોલીસ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને હાલ જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *