સુરતમાં ભવ્ય લગ્ન કરાવવાની લાલચ આપી આ દંપતીએ કરોડોનું કરી નાખ્યું- પૈસા તો ગયા પણ સબંધીઓ સામે ઈજ્જત’ય ગઈ

સુરતમાં દીકરા-દીકરીના ધામધૂમ અને ભવ્ય આયોજન કરી લગ્ન કરી આપવાના નામે એક દંપતીએ કરોડોની છેતરપિંડી કરી છે. ઇવેન્ટ કંપનીના દેસાઈ દંપતીની સુરત ઇકો સેલ દ્વારા…

સુરતમાં દીકરા-દીકરીના ધામધૂમ અને ભવ્ય આયોજન કરી લગ્ન કરી આપવાના નામે એક દંપતીએ કરોડોની છેતરપિંડી કરી છે. ઇવેન્ટ કંપનીના દેસાઈ દંપતીની સુરત ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ દંપતી દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કુલ 43 લોકો સાથે લગ્નનું આયોજન કરવાના નામે એડવાન્સ રૂપિયા લઈને બાદમાં વ્યવસ્થિત આયોજન કર્યું ના કરી કુલ 2,12,98,000ની છેતરપિંડી કરી છે. આ અંગેની ફરિયાદ સુરત ઇકો સેલમાં નોંધવામાં આવતા ઇકો સેલ દ્વારા દંપતીની ધરપકડ કરી અને તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લગ્ન આયોજનના નામે લોકો સાથે છેતરપિંડી
આજના સમયમાં લગ્ન પ્રસંગને ધામધૂમ અને ભવ્ય કરવાનો ટ્રેન્ડ ખુબ વધી ગયો છે. જેને લઇ લગ્નમાં કોઈ કસર બાકી રાખતા નથી. લોકો પ્રસંગનું આયોજન કરવા માટે ઇવેન્ટ કંપનીનો સંપર્ક કરતા હોય છે અને ઇવેન્ટ કંપની દ્વારા મોટા પ્રમાણમાં રકમ લઈને ભવ્ય આયોજન પણ કરી આપવામાં આવતું હોય છે. પરંતુ કેટલાક લાલચી લોકો આ ઇવેન્ટ કંપનીની આડમાં લોકો સાથે છેતરપિંડી કરવાનું શરુ કર્યું છે. એવા અનેક કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે.

શહેરના પૈસાવાળા લોકો સાથે લગ્નના નામે દંપતી કરતું હતું છેતરપિંડી
સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં રહેતા પ્રતિક દેસાઈ અને ખ્યાતિ દેસાઈ દ્વારા દેસાઈ ઇવેન્ટ એન્ડ વેડિંગ મંત્રા નામની ઇવેન્ટ કંપની શરૂ કરાઈ હતી. શરૂઆતમાં તેમણે પતાનું નામ બનવા માટે સારા આયોજનો કર્યા, ત્યારબાદ છેલ્લા બે વર્ષથી પૈસાવાળા લોકોનો સંપર્ક કરીને લગ્નનું ભવ્ય આયોજન કરી આપવાની મોટી મોટી વાતું કરી, એક બજેટ નક્કી કરતા અને આયોજન પેટે એડવાન્સમાં રૂપિયા લઈ લેતા હતા. ત્યારબાદ તેઓ વ્યવસ્થિત રીતે આયોજન ન કરી પરિવાર સાથે છેતરપિંડી કરતા હતા. આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનેલા લોકોમાં સુરતના મહિધરપુરા વિસ્તારના ધર્મેશ સાદડીવાલા એ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર પોલ ખુલી હતી.

રૂપિયા પરત ન મળતા પોલીસ ફરિયાદ કરાઈ
સુરતના મહિધરપુરા વિસ્તારના ધર્મેશ સાદડીવાલાએ પતની દીકરાના લગ્ન પ્રસંગે વર્ષ 2020ના જાન્યુઆરી મહિનામાં દેસાઈ દંપતી સાથે લગ્નનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું. જે આયોજન પેટે ધર્મેશભાઈ પાસેથી એડવાન્સ રૂપિયા લીધા હતા. ત્યારબાદ લગ્નનું આયોજન વ્યવસ્થિત ન કરી છેતરપિંડી કરી હતી. જે બાબતે એડવાન્સ આપેલા રૂપિયા પરત માગતા દેસાઈ દંપતી દ્વારા તેમને ચેક આપવામાં આવ્યા હતા. જે ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયોએ અને ત્યારબાદ વારંવાર એડવાન્સની માગણી છતાં આ દેસાઈ દંપતિ દ્વારા રૂપિયા પરત કરવામાં આવ્યા નહોતા. આખરે ધર્મેશભાઈએ સુરત પોલીસનો સહારો લીધો અને દેસાઈ દંપતી પર કેસ કરિયો હતો.

તપાસ કરતા 43 અન્ય લોકોની ફરિયાદ આવી સામે
ધર્મેશભાઈ સાદડીવાલાની ફરિયાદના આધારે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, ધર્મેશભાઈની જેમ અન્ય પણ 43 લોકોએ આ ઇવેન્ટ કંપની સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ દંપતી વિરુદ્ધ નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદો સામે આવી હતી. ધર્મેશભાઈની અને અન્ય 43 લોકો સાથે થયેલી છેતરપિંડીનો આંકડો મેળવતા આ આંકડો કુલ બે કરોડથી વધુની છેતરપિંડીનો ગુણો સામે આવ્યો હતો. જેથી આ તપાસની કાર્વાહી સુરત પોલીસની ઇકો સેલને સોંપવામાં આવી હતી. આ છેતરપિંડીની ફરિયાદના આધારે ઇકો સેલે દેસાઈ ઇવેન્ટ કંપનીના સંચાલક પ્રતિક દેસાઈ અને ખ્યાતિ દેસાઈની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *