તારક મહેતા શોમાં કોરોનાનું ગ્રહણ- ભીડે માસ્ટર સહીત આટલા સ્ટાર કોરોનાનો બન્યા ભોગ- જાણો વિગતે

છેલ્લા અનેક વ્રશોથી લાખો લોકોના દિલ પર રાજ કરતી તેમજ લોકોનું મનોરંજન પુરતું પાડતી સબ ટીવીની સૌથી લોકપ્રિય ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને કોરોનાનું…

છેલ્લા અનેક વ્રશોથી લાખો લોકોના દિલ પર રાજ કરતી તેમજ લોકોનું મનોરંજન પુરતું પાડતી સબ ટીવીની સૌથી લોકપ્રિય ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હજુ થોડા દિવસ અગાઉ ‘સુંદરલાલ’નું પાત્ર ભજવતા મયુર વાકાણી કોરોના પોઝિટિવ થવાના સમાચાર સામે આવ્યા હતા.

ત્યારબાદ હવે સમાચાર સામે આવ્યા છે કે, આ સિરિયલમાં ‘ભીડે માસ્ટર’નું પાત્ર ભજવતા એક્ટર મંદાર ચાંદવાડકરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પોતાની હેલ્થ અંગે વાત કરતાં મંદારે જણાવ્યું હતું કે, તેઓ એસિમ્પ્ટમેટિક છે અને આઇસોલેટ થઈને રિકવર થઈ રહ્યા છે.

‘મને હતું જ કે મને ચેપ લાગ્યો છે’ :
મંદાર જણાવતા કહે છે કે, ‘મારા ટેસ્ટના રિપોર્ટ્સ આવ્યા એની પહેલાં જ મેં મારી જાતને આઇસોલેટ કરી દીધી હતી. કારણ કે મને લાગતું જ હતું કે મને ચેપ લાગ્યો છે. હવે મારા કોરોના ટેસ્ટના રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા છે. અલબત્ત, હું એસિમ્પ્ટમેટિક છું તથા ડૉક્ટર અને મુંબઈ મહાનગરપાલિકાએ સૂચવેલ પ્રિકોશન્સ લઈ રહ્યો છું. હાલમાં મારી હેલ્થ એકદમ ફિટ એન્ડ ફાઇન છે. મારો પરિવાર મારી પૂરી સંભાળ લઈ રહ્યો છે તેમજ હું ઝડપથી શૂટિંગ પર પરત ફરીશ.’

મયૂર વાકાણી પણ આવ્યા હતા પોઝિટિવ :
અઠવાડિયા પહેલા આ સિરિયલમાં સુંદરલાલનો રોલ ભજવી રહેલ ગુજરાતી અભિનેતા મયૂર વાકાણી પણ અમદાવાદમાં કોવિડ-19 પોઝિટિવ થયા છે. તેમને અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એવી જાણકારી થઈ હતી.

મયૂરે જણાવ્યું હતું કે, ‘છેલ્લા બે દિવસથી મને તાવ આવતો હતો. આવી સ્થિતિમાં મેં તરત મારો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. હું કોઈપણ જાતનું જોખમ લેવા માગતો ન હતો. આની અગાઉ મેં કામના સંદર્ભમાં કેટલાક રેપિડ કોવિડ ટેસ્ટ કરાવ્યા હતા, જેમાં મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

જો કે, આ વખતે મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, મારામાં કોરોનાના એકપણ લક્ષણ ન હોવા છતાં હું હોમ ક્વૉરન્ટીન થઈ શકતો હતો પણ મારામાં કોરોનાનાં લક્ષણો હતાં, આથી જ મેં હોસ્પિટલમાં એડમિટ થવાનો નિર્ણય લીધો હતો.’ અમદાવાદમાં સૌથી સારી વાત એ છે કે અહીં ઠેર ઠેર કોવિડ સેન્ટર છે. હું SVP હોસ્પિટલમાં એડમિટ છું તેમજ અહીં મારી સારવાર કરાવી રહ્યો છું.

અહીં ખુબ સપોર્ટ મળી રહ્યો છે. એવી આશા રાખું છુ કે, ટૂંક જ સમયમાં મારો રિપોર્ટ નેગેટિવ આવશે તેમજ હું ઘરે પરત ફરીશ.’

આસપાસ રહેતા લોકો એવું માને છે કે, મુંબઈમાં શોના શૂટિંગ વખતે તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જો કે, આ વાત સાચી નથી. મયૂરના મત પ્રમાણે ‘હું ગયા સપ્તાહમાં મુંબઈ હતો જ્યાં શૂટિંગ કર્યું હતું. ત્યાંથી પાછા ફર્યા પછી હું એકદમ ઠીક હતો.

હું અમદાવાદમાં પણ ઘણું જ ફર્યો છું. બની શકે આ દરમિયાન મને ચેપ લાગ્યો હોય. મને કોઈ જાતનો ભય લાગતો નથી. મને વિશ્વાસ છે કે હું ખુબ ઝડપથી ઠીક થઈ જઈશ.’ અહીં નોંધનીય છે કે, મયૂરના પિતા ભીમ વાકાણીએ કોવિડની વેક્સિન લઈ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *