અમદાવાદમાં નેતાઓ પણ હવે એક પછી એક કોરોનાના ભરડામાં આવવા લાગ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે પોતાનો પ્રભાવ તીવ્ર કરતો જાય છે. હવે સામાન્ય માણસોમાંથી અધિકારીઓ, કોરોના વોરિયર્સ અને હવે રાજકીય નેતાઓમાં કોરોના વાયરસનો ચેપ ફેલાયો છે. ત્યારે કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ કોંગ્રેસના ઘણાં નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોના પોઝિટિવ આવતા પક્ષમાં ખળભળાટ મચી ગયો છે.
ભરતસિંહ સોલંકી હાલમાં વડોદરા શહેરના માંજલપુરમાં આવેલી બેન્કર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતાં. ગઈકાલે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. થોડો તાવ અને તબિયત નાદુરસ્ત હોવાથી તેમને રિપોર્ટ કરાવ્યો હતો. રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના મોટા નેતાઓ-ધારાસભ્યો અને પત્રકારો સાથે હતા.
ગઈકાલે જ ભરતસિંહને કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. થોડો તાવ અને તબિયત નાદુરસ્ત હોવાથી તેમને રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં આજરોજ તેઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના મોટા નેતાઓ-ધારાસભ્યો અને પત્રકારો સાથે હતા. તમને જણાવીએ કે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના બીજા ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં જેમાં તેમની હાર થઈ હતી. આવામાં મતદાન સમયે તેમ જ તેના પહેલાં રિસોર્ટમાં પણ ધારાસભ્યો સાથે ભરતસિંહ સંપર્કમાં હતાં ત્યારે સ્થિતિ હાલ ગંભીર બની છે. આ પહેલા પણ કોંગ્રેસના મોટા નેતાઓ અગાઉ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યાં છે. જેમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા હોય કે પછી કોર્પોરેટર બદરુદ્દીન શેખ તેઓ પણ કોરોના રીપોટ પોજીટીવ આવ્યાં હતાં. કોરોનાના કારણે બદરુદ્દીન શેખનું દુઃખદ નિધન પણ થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news