અહિયાં રાતોરાત આવી ગઈ ત્રીજી લહેર- તંત્ર ફરીથી થયું દોડતું

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને આ દરમિયાન મહારાષ્ટ્રના નાગપુરમાં કોવિડ -19 ની ત્રીજી લહેર દસ્તક આપી છે. આ માહિતી મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી નીતિન રાઉત દ્વારા આપવામાં આવી છે અને સંકેત આપ્યો છે કે સ્થાનિક વહીવટ સંક્રમણની ગતિ રોકવા માટે ટૂંક સમયમાં પ્રતિબંધોની જાહેરાત કરી શકે છે.

નાગપુરમાં ત્રીજી લહેરની એન્ટ્રી: મંત્રી
હકીકતમાં, કેબિનેટ મંત્રી નીતિન રાઉતે તાજેતરમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મહેસૂલ, પોલીસ અને આરોગ્ય સહિત અનેક સરકારી વિભાગોના વરિષ્ઠ વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ નીતિન રાઉતે કહ્યું કે, ‘કોરોના વાયરસની ત્રીજી લહેર નાગપુરમાં પોતાનો પગ જમાવી ચૂકી છે, કારણ કે બે દિવસમાં બે આંકડામાં સંક્રમણના કેસ જોવા મળ્યા છે.’

2-3 દિવસમાં પ્રતિબંધ લાદવામાં આવી શકે છે:
ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા નીતિન રાઉતે કહ્યું કે, ‘સત્તાવાળાઓ દ્વારા બેથી ત્રણ દિવસમાં તારીખ નક્કી કર્યા બાદ દુકાનો અને અન્ય સંસ્થાઓ પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવશે. પ્રતિબંધો જરૂરી છે કારણ કે લોકોની જિંદગી બચાવવી એ અમારી મુખ્ય ફરજ છે.

નાગપુરમાં કોરોના કેસની સ્થિતિ:
જણાવી દઈએ કે રવિવારે નાગપુરમાં કોરોના વાયરસના 10 નવા કેસ નોંધાયા હતા, જ્યારે સોમવારે શહેરમાં 13 નવા કેસ નોંધાયા હતા. આ આંકડાઓને ટાંકીને નીતિન રાઉતે ત્રીજી લહેરની નોક વિશે વાત કરી હતી. જિલ્લામાં કોરોનાના કેસ ઘટ્યા બાદ 17 ઓગસ્ટના રોજ પ્રતિબંધો સંપૂર્ણપણે હળવા કરવામાં આવ્યા હતા.

સપ્ટેમ્બર મહિનામાં કોરોનાની ઝડપ વધી છે:
નાગપુર જિલ્લામાં ઓગસ્ટમાં કોવિડ -19 ના માત્ર 145 નવા કેસ નોંધાયા હતા, જ્યારે રોગચાળાને કારણે માત્ર 2 લોકોના મોત થયા હતા. સપ્ટેમ્બર મહિનામાં નવા કેસોમાં વધારો થયો છે અને અત્યાર સુધીમાં જિલ્લામાં 42 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે અને એકનું મોત થયું છે. સોમવાર સુધી જિલ્લામાં 56 સક્રિય કેસ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *