બેજવાબદાર તંત્રે કોરોના ન હોવા છતાં મહિલાને કોરોના વૉર્ડમાં દાખલ કરી દીધી, મોત થયા બાદ પણ રિપોર્ટ આવ્યો નેગેટિવ

અમદાવાદની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં મહિલાને કોરોના ન હોવા છતાં પણ તેને કોઈ પણ પ્રકારએની તપાસ કર્યા વગર તેને કોવિડ…

અમદાવાદની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં મહિલાને કોરોના ન હોવા છતાં પણ તેને કોઈ પણ પ્રકારએની તપાસ કર્યા વગર તેને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવી હતી. જ્યાં મહિલાનું બે દિવસમાં જ સારવાર દરમિયાન મોત નીપજયું હતું પરંતુ જ્યારે મહિલાનો કોરોનાનો રિપોર્ટ આવ્યો ત્યારે ડૉક્ટરોને ખબર પડી કે, મહિલાને કોરોના ન હતો. આ બાબતે મહિલાના પરીવારજનોએ આક્ષેપ છે કે, હોસ્પિટલમાં સમયસર યોગ્ય સારવાર ન મળવાના કારણે તેમનું મોત નિપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં આવેલી ભલાજીની ચાલીમાં 45 વર્ષના મંજુલાબેન વછેટા તેના પરિવારની સાથે રહે છે. 22 મેના રોજ મંજુલાબેનને શરીરમાં બ્લડ ઓછું થતાં તેઓને શ્વાસની તકલીફ પડતાં તેમણે અમદાવાદની બેથી ત્રણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. ખાનગી હોસ્પિટલમાં મંજુલાબેનમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા તેમને 22 મેનાં રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મંજુલાબેનનો પુત્ર પ્રદીપ જ્યારે માતાને લઈને સિવિલમાં પહોંચ્યો ત્યારે ડૉક્ટર દ્વારા કોઈ પણ પ્રકારના ટેસ્ટ કર્યા વગર જ મંજુલાબેનને કોવિડ  વોડમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા. કોવિડ હોસ્પિટલમાં પણ મંજુલાબેનને શ્વાસની તકલીફ પડતા તેમના દ્વારા વારંવાર દીકરાને ફોન કરીને આ બાબતે માહિતી આપવામાં આવી હતી.

હોસ્પિટલમાં દાખલ કર્યાના બે દિવસ બાદ એટલે કે, 24 મેનાં રોજ મંજુલાબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મંજુલાબેનના મોત ના બે દિવસ પછી એટલે કે, 26 મેના રોજ તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રિપોર્ટ પરથી ડૉક્ટરોને જણાવ્યું હતું કે, દર્દીને અન્ય રોગ હતો. આ બાબતે મંજુલાબેનના પુત્ર પ્રદીપનું કહેવું છે કે, હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળવાના કારણે તેમની માતાનું મોત નીપજ્યું છે. જો તેઓનો સમયસર રિપોર્ટ કરવામાં આવ્યો હોત અને સમયસર સારવાર મળી હોત તો તેઓ જીવ બચી શક્યો હોત. મહિલાને શ્વાસ લેવામાં તકલીફ હતી પણ રીપોર્ટ કર્યા વગર જ કોરોના વોર્ડમાં તેમને દાખલ કરી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *