માતા-પિતાએ ધામધુમથી લગ્ન કરાવ્યા ‘ને દોઢ મહિનામાં જ દંપતીએ એકસાથે કર્યો આપઘાત

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. રાજકોટ (Rajkot) શહેરમાં 11 દિવસમાં દંપતીએ સજોડે આપઘાત કર્યા હોવાની બીજી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, 15 જુલાઇના રોજ મોરબી(Morbi) રોડ પર દંપતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક દંપતીએ લગ્નજીવનના દોઢ જ મહિનામાં ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી:
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના રેલનગર વિસ્તરમાં આવેલ સંતોષીનગર ફાટક પાસે નવદંપતી કરણ પંચાસરા (22) અને સ્નેહા પંચાસરા (22)એ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી. તેમજ આ અંગે તપાસ હાથ ધરી હતી. આ પછી તપાસ દરમિયાન બન્ને પતિ પત્ની હોવાનું અને રેલવે ફાટકની સામે સંતોષીનગરમાં જ રહેતા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે બંને મૃતદેહોને પોસમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યું છે કે, મૃતક કરણ અને સ્નેહાએ દોઢ મહિના પૂર્વે જ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. જો કે તેઓ આપઘાત શા માટે કર્યો તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી માટે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પહેલા પણ નવદંપતીના લગ્નના 5 માસ બાદ જ ગૃહક્લેશમાં આપઘાત કર્યા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *