જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર સાશીત પરદેશ બને તે પહેલાં જ CRPF ના જવાનો પર થયો ગ્રેનેડ હુમલો- જાણો વિગતો

શ્રીનગરના કરણનગર ના કાકાસરાઈ વિસ્તારમાં CRPFના જવાનો પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર છ જવાનો ગ્રેનેડ હુમલાને કારણે…

શ્રીનગરના કરણનગર ના કાકાસરાઈ વિસ્તારમાં CRPFના જવાનો પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર છ જવાનો ગ્રેનેડ હુમલાને કારણે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર સીઆરપીએફના જવાનો નાકાબંધી માં વ્યસ્ત હતા. ત્યારે તેમને નિશાને લઈને આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો.

સીઆરપીએફના જવાનો SMHS હોસ્પિટલ બહાર સુરક્ષામાં તૈનાત હતા. આ હુમલા દરમિયાનક હવામાં ફાયરિંગ થયું હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. હુમલા બાદ તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ હુમલો સાંજે 6.50 વાગ્યે થયો છે. આ હુમલો ઈવા સમયે થયો છે જ્યારે થોડા જ દિવસોમાં જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ કેન્દ્ર સાશીત પ્રદેશ બનવા જઇ રહ્યા છે.

આર્ટિકલ 370 અને 35a હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીર ની પરિસ્થિતિ નાજુક છે આ હુમલા અંગેની વધુ જાણકારીઓ હજી સુધી પ્રાપ્ત થઇ નથી. Pti ના માધ્યમથી મળેલી વિગતો અનુસાર CRPF ના 144મી બટાલિયન ના જવાનો ઘાયલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *