IPS અધિકારીના ફાર્મહાઉસમાં મેનેજરે ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન, કારણ જાણી પગ તળે જમીન સરકી જશે

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. આજના યુવાનોમાં સહનશક્તિનો અભાવ હોવાને કારણે તેઓ નજીવી બાબતે જીવન ટૂંકાવી દેતા…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. આજના યુવાનોમાં સહનશક્તિનો અભાવ હોવાને કારણે તેઓ નજીવી બાબતે જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. ત્યારે હાલ વધુ એક આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક આઈપીએસ અધિકારી (IPS officer)ના ફાર્મહાઉસ (Farmhouse)માં એક યુવકની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, યુપીના લખનઉમાં આઈપીએસ અધિકારી બીકે મૌર્યના ફાર્મહાઉસમાં એક યુવકની લાશ લટકતી હાલતમાં મળી આવી છે. બીકે મૌર્ય ડીજી લોજિસ્ટિક્સ તરીકે પોસ્ટેડ છે. યુવકની ઓળખ વિજય તરીકે થઈ છે. જાણવા મળ્યું છે કે, આ યુવક ફાર્મ હાઉસનો મેનેજર હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ આ અંગે તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળ પ્રેમ પ્રકરણનો મામલો સામે આવી રહ્યો છે. પોલીસને શંકા છે કે પ્રેમમાં છેતરાયા બાદ વિજયે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઉપરાંત ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. હાલ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *