દિલ્હી પોલીસે ટ્વીટરની ઓફીસમાં દરોડા પાડતા ટ્વીટરની મુશ્કેલી વધી, આ કારણે કરવામાં આવી મોટી કાર્યવાહી

ટૂલકિટ કેસને લઈને દિલ્હી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોમવારના રોજ સાંજે દિલ્હી પોલસની સ્પેશીયલ ગણાતી સેલની ટીમે દિલ્હી અને ગુરુગ્રામમાં આવેલ ટ્વીટરની ઓફીસ પર રેડ પાડવામાં આવી હતી. ટ્વીટરની ઓફીસ પર રેડ પાડવામાં આવે તે પહેલા દિલ્હી પોલીસે ઇન્ડિયન ટ્વિટરના પ્રમુખ એવા મનિષ માહેશ્વરીને નોટીસ મોકલાવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર કહેવામાં આવ્યું છે કે, ટૂલકિટ કેસને લઈને અમને એક ફરિયાદ મળી છે જેમની તપાસ હાલમાં ચાલી રહી છે. આ તપાસના ભાગ રૂપે ટ્વિટરની ઓફિસ પર રેડ પાડવામાં આવી છે.

Manipulated Media હેશ ટેગ દૂર કરવાનું કહેવામાં આવ્યું:
મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકારે ટ્વિટર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. નોંધનીય બાબત એ છે કે ટ્વિટર દ્વારા અમુક નેતાઓની ટ્વિટસ જે ટૂલકિટ સંબંધિત હતી જે ટ્વિટસમાં ફેરફાર કરવામાં આવ્યો એટલે કે Manipulated Media માની લેવામાં આવ્યું હતું. જેને લીધે કેન્દ્ર સરકારે હવે ટ્વિટરને પત્ર લખીને આ તમામ ટ્વિટમાંથી Manipulated Media હેશ ટેગ હટાવવાનું કહ્યું છે.

ભાજપે દાવો કર્યો છે કે ટૂલકિટની રચના કોંગ્રેસની કાર્યકર્તા સોમ્ય વર્માએ કરી છે:
કેન્દ્ર સરકાર તરફથી ટ્વિટરને જે પત્ર લખવામાં આવ્યો હતો એ પ્રસારણ અને સૂચના મંત્રાલય દ્વારા લખવામાં આવ્યા હતા. થોડા જ દિવસો પહેલા ટ્વિટરે ભાજપના પ્રવક્તા એવા સંબિત પાત્રાની ટ્વિટમાં ફેરફાર કર્યો હતો. આ ટ્વિટ દ્વારા તેમણે આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસે મોદી સરકારને ટાર્ગેટ બનાવીને એક ટૂલકિટ બનાવી હતી. સાથે પાછળથી તેમના દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસની કાર્યકર્તા સોમ્ય વર્માએ આ ટૂલકિટની રચના કરી હતી. હવે કેન્દ્ર સરકારે આ વાત પર નારાજગી વ્યકત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂલકિટને ટાર્ગેટ બનાવનાર નેતાઓના ટ્વિટમાં Manipulated Media આવવાના લીધે હવે ટ્વિટરની વિશ્વસનીયતા પર ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

કોંગ્રેસની માંગ: ભાજપના નેતાઓના ટ્વિટર અકાઉન્ટ બંધ કરવામાં આવે
આ સમગ્ર મામલે ટ્વિટરનું કહેવું છે કે, આ તમામ વાતની ખરાય કરવામાં આવે છે કે ટ્વિટમાં જે ઓડીઓ, વિડીઓ કે ફોટાઓ હોય છે જેમાં કઈ ફેરફાર કરવામાં આવે છે. કોંગ્રેસ પર આક્ષેપ લાગ્યા બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકારને ટાર્ગેટ બનાવી હતી.  સાથે કોંગ્રેસે ભાજપના મોટા નેતોઓની વિરુદ્ધમાં FIR કરવાની પણ માંગ કરી હતી. કોંગ્રેસે ટ્વિટરને લખી ને   જણાવવામાં  આવ્યું હતું કે લોકોને ખોટી જાણકારી આપવા બદલ ભાજપના નેતાઓના ટ્વિટર અકાઉન્ટને  બંધ કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *