સુરતમાં ડાયમંડ વર્કર યુનિયને કરી એવી માંગ, જો એ સ્વીકારી લેવાય તો 2 લાખ રત્નકલાકારોનો પગાર 25% વધી જશે

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા, ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંકએ સુરત ડાયમંડ એસોશીયેશન આવેદન આપતા કહ્યું છે કે કોરોનાની આ વૈશ્વિક મહામારી સામે આપણે સૌ…

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા, ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંકએ સુરત ડાયમંડ એસોશીયેશન આવેદન આપતા કહ્યું છે કે કોરોનાની આ વૈશ્વિક મહામારી સામે આપણે સૌ નિર્ણાયક લડત લડી રહ્યા છીએ. કોરોના વાયરસના કારણે જે લોકડાઉન જાહેર કરવામા આવેલ હતું તેમની ગંભીર અસર હીરાઉધોગ અને તેમાં કામ કરતા લાખો રત્નકલાકારો ને થઈ હતી અને રત્નકલાકારો બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે પાયમાલ થઈ ગયા હતા અને અસંખ્ય રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધાના બનાવો બન્યા હતા.

ત્યારે હાલમાં જી.જે.ઇ.પી.સી ના અહેવાલો અનુસાર હીરાઉધોગમા તૈયાર હીરાની નિકાસમા ખૂબ સારો વધારો થયો છે. હીરાઉધોગમા અત્યારે ખૂબ સારી તેજી છે. ત્યારે મંદી મંદી કરીને અને કોરોના વાયરસ ના લોકડાઉન ના કારણે હીરાઉધોગ ના રત્નકલાકારો ના જે 25% થી 35% સુધી ના પગાર મા ધળખમ ઘટાડો કરી રત્નકલાકારો ને ઓછા પગારમા કામ કરવા મજબૂર કરવામા આવ્યા હતા.

અત્યારે હીરાઉધોગમા ખુબ તેજી છે તો ઉધોગપતિઓ એ પોતાના જ ઘર ભરવાને બદલે રત્નકલાકારોનુ પણ ઘર ગુજરાન વ્યવસ્થિત ચાલે અને રત્નકલાકારોના પરિવારના ભવિષ્ય પણ હીરાની જેમ ચમકતા થાય એ જોવાની ફરજ સરકાર અને ઉદ્યોગકારો બંનેની છે.

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને કારણે જ્યારે લોકડાઉન જાહેર થયું ત્યારે સરકાર દ્વારા એવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે દરેક કંપનીએ પોતાના કામદારો ને લોકડાઉન નો પગાર આપવાનો રહેશે પણ સરકાર પોતે જાહેર કરેલ પરિપત્રનો અમલ કરાવવામા નિષ્ફળ રહી હતી જેના કારણે હીરાઉધોગના રત્નકલાકારો સહિત ગુજરાત ના મોટા ભાગ ના કામદારોને લોકડાઉનનો કોઈ જ પગાર મળ્યો નહોતો. પગાર ના મળવાને કારણે રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા અને ઘર ગુજરાન ચલાવવામા ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો.

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા હીરા ઉધોગ સાથે સંકળાયેલા લોકોના પગારમાં વધારો કરવામાં આવે તે અંગેની માંગ કરી છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત ડાયમંડ એસોશીયેશન ખાતે પગારમાં વધારો કરવામાં આવે તે અંગેની રજૂઆત કરવા માટે પહોચ્યા હતા. સાથે અન્ય રજૂઆત પણ કરી હતી કે, ડાયમંડ હોસ્પિટલમા રત્નકલાકારોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે તે અંગેની પણ રજૂઆત કરી છે. જોવા જઈએ તો 1 લાખ કારીગરો હીરા ઉધોગ ને છોડી બીજા વ્યવસાયમાં જોડાઈ ગયા છે. ત્યારે હવે રત્નકલાકારોના પગારમાં વધારો કરવામાં આવે તે અંગેની રજૂઆત ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *