આણંદમાં પત્નીના પ્રેમસબંધની પોલ ખુલતા પતિએ પ્રેમીને દીકરીના બર્થડે પર બોલાવ્યો અને પછી નહેરમાંથી મળી લાશ

આણંદ(ગુજરાત): મોગરી ગામે રહેતા 30 વર્ષના યુવકને પુત્રીની બર્થ ડે પાર્ટીમાં બોલાવી તેની હત્યા કરીને બોરિયાવી પાસેથી પસાર થતી મોટી નહેરના પાસે ફેંકીને ત્યાંથી ફરાર…

આણંદ(ગુજરાત): મોગરી ગામે રહેતા 30 વર્ષના યુવકને પુત્રીની બર્થ ડે પાર્ટીમાં બોલાવી તેની હત્યા કરીને બોરિયાવી પાસેથી પસાર થતી મોટી નહેરના પાસે ફેંકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આણંદ ગ્રામ્ય પોલીસે થોડાક જ કલાકોમાં 2 વ્યક્તિએની ધરપકડ કરી તપાસ શરુ કરી છે. મૃતક યુવકના આરોપી યુવકની પત્ની સાથે પ્રેમસંબંધ હતા, જેની જાણ થતાં આ સમગ્ર ઘટના સર્જાઈ હતી.

મફતપુરા રોડ પાસેની શુક્લની ખરી પાસે રાજેશભાઈ રાવળ રહે છે અને તેઓ ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે. રવિવારે સાંજે તેઓ ઘરેથી બર્થ ડે પાર્ટીમાં જવાનું કહીને નીકળ્યા પછી મોડી સુધી ઘરે પરત ફર્યા ન હતા. તેમના ચિંતાતુર પરિવારજનોએ શોધ શરુ કરી હતી. તેમની લાશ બોરિયાવી નહેર પાસેથી મળી આવી હતી. પોલીસે આ અંગે તપાસ શરુ કરતા લાશ રાજેશ રાવળની હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં યુવક રાત્રિના સમયે તેના મિત્ર અમિત રાવળ અને તેના ભાણા જય દિનેશ રાવળ સાથે હતો અને તેમણે પુત્રીની બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું તેવું સામે આવ્યું હતું. જેને કારણે પોલીસે બંનેની ધરપકડ કરી તપાસ શરુ કરી હતી.

પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 5 મહિનાથી અમિતની પત્નીના રાજેશ રાવળ સાથે પ્રેમસંબંધ હતો. 3 દિવસ પહેલાં એની જાણ અમિતને થઈ હતી. રવિવારે પુત્રી વૈષ્ણવીનો બર્થ ડે હોવાથી સામેથી મૃતક યુવક રાજેશે પાર્ટીની વાત કરી હતી. તેને કારણે અમિતે રાજેશને તેની પત્ની સાથે આવવા નિમંત્રણ પાઠવ્યું હતું. બંને આરોપી યુવકનો પ્લાન રાજેશ તેની પત્ની સાથે આવે તો પત્નીની હાજરીમાં જ તેને માર મારી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવાનો હતો.

અમિત અને જયને જાણ થઈ ગઈ હતી કે, રાજેશ એકલો જ આવી રહ્યો છે. જેને કારણે તેને માર મારવાને બદલે હત્યા કરી નાખવાનો યુક્તિ ઘડી નાખી હતી. તેને સીગડી હોટલ પાસે લઈ જવાને બદલે બોરિયાવી નહેર પાસે લઈ ગયા હતા. જ્યાં રાજેશને ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

15 વર્ષ પહેલા બોરિયાવી ખાતે રહેતા મુખ્ય આરોપી અમિત રાવળના લગ્ન ભાવિકા સાથે થયા હતા. તેમના પ્રેમલગ્ન થયા હતા. તેમને સંતાનમાં 3 પુત્રી છે. બીજી તરફ મૃતક યુવકના લગ્ન 12 વર્ષ પહેલાં થયા હતા અને તેને પણ સંતાનમાં 3 પુત્રી છે.

મૃતકનો મૃતદેહ ઘટનાસ્થળેથી 500 ફૂટ દૂરથી મળી આવ્યો હતો. મંગળવારે તેનું પીએમ કરાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં માં જાણવા મળ્જેયું હતું કે, માથામાં વાગવાથી તેનું મોત થયું છે. સ્થળ પરથી ઘડિયાળ મળી આવી હતી. આ ઉપરાંત લાશ તથા એફએલએલની હાજરીમાં નહેરનું પાણી જપ્ત કરવામાં આવ્યું છે.

આરોપી અમિત વટવા જીઆઈડીસીમાં નોકરી કરે છે. પ્રેમસંબંધની જાણ યુવતીનાં પરિવારજનો અને યુવકનાં પરિવારજનોને થતાં તેમણે તેને સમજાવી હતી. તેમણે તકેદારી રાખી હતી કે, સમગ્ર ઘટના અમિત સુધી પહોંચે નહીં, પરંતુ 3 દિવસ પહેલાં જ તેની જાણ અમિતને થતા તેણે પત્નીને માર માર્યો હતો. જેમાં તેણે ફરી આવું નહીં બને એમ કહી માફી પણ માગી હતી.

પ્રેમિકાની નજીક આવવા મૃતક યુવક રાજેશે તેના પતિને જ મિત્ર બનાવી દીધો હતો. મળતી માહિતી અનુસાર, થોડા સમય પહેલા ભજનમંડળીમાં સાથે મળ્યા પછી તેણે જ સામેથી મોબાઈલ લઈ ગુડ મોર્નિંગ અને હાય હેલ્લોના મેસેજ નાખીને મિત્રતાની શરૂઆત કરી હતી. હાલ આરોપીઓની પોલીસે ધડપકડ કરીને હત્યાના ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *