દેવાયત ‘રાણા’ નો મામલો પહોંચ્યો PM મોદીની ઓફિસે- મયુરસિંહ રાણાના પરિવારે કરી આ માંગ

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)માં પોતાના સાથીદાર સાથે મયુરસિંહ રાણા(Mayursinh rana) પર જીવલેણ હુમલો કર્યા બાદ દેવાયત ખવડ છેલ્લા કેટલાંય દિવસોથી ફરાર થઇ ગયો છે. ત્યારે હવે મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોંચાડી દીધા મામલો વધુ ગરમાયો છે. PMO સુધી મયુરસિંહ રાણાના પરિવાર દ્વારા આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. અમે તમને જણાવી દઇએ કે, થોડાક દિવસો પહેલા રાજકોટમાં દેવાયત ખવડે(Devayat Khavad) પોતાના સાથીદાર મિત્ર સાથે જાહેરમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યાર બાદથી દેવાયત ખવડ અને પોતાનો સાથી મિત્ર પોલીસ પક્કડથી હજુ પણ દૂર છે. ગઈકાલે આ અંગે ક્ષત્રિય સમાજ દ્વારા પણ આ અંગે પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી.

દેવાયતે કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી ટળી:
અમે તમને વધુમાં જણાવી દઇએ કે, લોકસાહિત્યકાર દેવાયત ખવડ મામલે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. દેવાયત ખવડ દ્વારા ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી. દેવાયત ખવડ દ્વારા કરવામાં આવેલ આગોતરા જામીનની અરજીની સુનાવણી ગઇકાલે ટળી ગઇ હતી. જેને કારણે હવે રાજકોટ કોર્ટમાં આગામી 17 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાથીદારે લાકડી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારપછી દેવાયત ભાગી ગયો છે. મહત્વનું છે કે, રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ 8 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે.  દેવાયત ખવડ અને પોલીસ પોલીસકર્મીઓ વચ્ચે સાઠગાંઠ હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે. એવામાં સમગ્ર ઘટનાને લઈને DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઈનું નિવેદન સામે આવ્યું છે.

DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઈએ જણાવતા કહ્યું હતું કે, પીડિતના પરિવારજનો રજૂઆત માટે આવ્યા હતા. આ દરમિયાન અત્યાર સુધીમાં આરોપીને પકડવા માટે જે કંઈ કામગીરી કરવામાં આવી છે, પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. તે અંગે તેમને(પીડિતના પરિવારને) માહિતગાર કરવા આવ્યા હતા. સાથે જ આગળની પોલીસ દ્વારા કરવામાં આવનાર કાર્યવાહી અંગેની પણ તેઓને સમજ આપવામાં આવી છે. પીડિતના પરિવારની રજૂઆત છે તેની નોંધ લેવામાં આવે અને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જાણો શું છે સમગ્ર મામલો:
રાજકોટમાં એક યુવાન પર ધોળાદિવસે જીવલેણ હુમલો કરવામાં લોકગાયક દેવાયત ખવડનું નામ સામે આવ્યું હતું. જાણવા મળી રહ્યું હતું કે, દેવાયત ખવડે તેના બે માણસો સાથે મળીને દિનદહાડે રાજકોટના સવેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં મયુરસિંહ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને પગના ભાગે લોહી નીકળવા લાગ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મયુરસિંહ રાણા નામના યુવક પર દેવાયત ખવડે જીવલેણ હુમલો કર્યો છે. જાણવા મળ્યું છે કે દેવાયત ખવડે લોખંડના પાઇપ દ્વારા મયુરસિંહ રાણા નામના વ્યક્તિને અસહ્ય માર માર્યો હતો. ત્યારબાદ મયુરસિંહ રાણાને ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટના અંદાજે બપોરના ત્રણ થી સાડા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જાણવા મળ્યું છે કે, રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર અચાનક દેવાયત ખવડ અને અન્ય બે અજાણ્યા યુવકો પાઇપ લઈને તૂટી પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *