ધૈર્યા હત્યાકાંડને લઇને મણીધર બાપુએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું ‘આ રાક્ષસને માં મોગલ ક્યારેય માફ નહિ કરે’ -જુઓ વિડીયો

ગુજરાતમાં ધૈર્યા હત્યાકાંડથી લોકોમાં ચકચાર મચી ગયો છે. ગીર સોમનાથના તલાલા ગામમાં હેવન પિતાએ પોતાની જ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આજના સમયમાં પણ સેકંડો લોકો એવા છે, જેઓ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસમાં માને છે. ૧૪ વર્ષની ધૈર્યા પણ આ જ અંધશ્રદ્ધાનો ભોગ બની હતી. હેવન પિતા અને ધૈર્યાના મોટા બાપુજીએ સતત ચાર દિવસ સુધી ધૈર્યા સાથે તાંત્રિક વિધિ કરી હતી, અને છેવટે બલી ચડાવી માસુમ દીકરીને દર્દનાક મોત આપ્યું હતું.

આ ઘટના અંગે કબરાઉ ધામના મોગલકુળ બાપુ એટલે કે મણીધર બાપુએ આક્રોશ વ્યક્ત કર્યો છે. મણીધર બાપુએ જણાવતા કહ્યું કે, ‘આ પરિવારને માં મોગલ ક્યારેય માફ નહિ કરે… નર્કમાં આ હત્યારાઓને એવી ભયંકર સજા મળશે કે, જેનું વર્ણન નથી કરી શકાતું. આ બાપ નહિ પણ રાક્ષસ કહેવાય. દીકરી મોગલને પ્રાણ વાલી છે, ફૂલ જેવી દીકરી સાથે આવું થયું…’

વધુમાં મણીધર બાપુએ ઘટનાની તપાસ કરી રહેલા PSI ને કહ્યું કે, ‘માં મોગલનો આદેશ અને આશીર્વાદ છે કે, આ રાક્ષસોને છોડશો નહિ. કારણ કે, માં મોગલ ને પણ કાનુન ખુબ ગમે છે. સાથોસાથ તેને આવી સલાહ દેનાર અને સાથ આપનારને પણ છોડશો નહિ. આ બધાને જેલમાં નહિ મોકલતા… આ લોકોને તો જાહેરમાં જ ફાંસીએ લટકાવી દો, જેથી આવા હત્યાચારો દેશમાં થતા બંધ થાય’

અંધશ્રદ્ધાને લઇ મણીધર બાપુએ કહ્યું કે, ‘આ તો સોરઠની ધરતી, સંત-સુરાની ધરતી.. જ્યાં માં મોગલ બેઠી હોય ને આ રાક્ષસના પેટના આવું કરતા હોય… આવી ઘટનાઓથી મને ખુબ જ આક્રોશ છે. કેમ કે, હું દીકરીની વેદના જોઈ નથી શકતો.’ વધુમાં લોકો અને પોલીસને બાપુએ કહ્યું કે, ‘તમે પણ આવા કોઈ ધતિંગડાને જોવ તો મુકતા નહિ. તેમને કડકમાં કડક સજા અપાવજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *