સુરતમાં વધતા કોરોનાના કેસ વચ્ચે હીરા-કાપડ ઉદ્યોગ માટે લેવાયો મહત્વનો નિર્ણય, જાણો અહીં

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અત્યાર સુધી અમદાવાદમાં કોરોના કેસ ઝડપથી વધતા હતા. પરંતુ હવે છેલ્લા…

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અત્યાર સુધી અમદાવાદમાં કોરોના કેસ ઝડપથી વધતા હતા. પરંતુ હવે છેલ્લા 6 દિવસના આંકડાઓ મુજબ અમદાવાદ કરતા સુરતમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને કતારગામ વિસ્તારમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જેના કારણે છેલ્લા એક અઠવાડ્યાથી ડાયમંડ ઉદ્યોગમાં કોરોનાના કેસ સતત સામે આવી રહ્યા છે.

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના છે તેમાં પણ સુરતમાં કોરોનાના કેસની સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. જેમાં લોકડાઉન બાદ શરૂ થયેલ ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગો ફરી શરૂ થતા કામદારોમાં કોરોનાના કેસ વધી રહ્યાં હતા. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સુરતની મુલાકાત કરી હતી. જેના બાદ આજે ડાયમંડ અને કાપડ ઉદ્યોગોના અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. કોરોનાની વિકટ બનતી સ્થિતિ વચ્ચે ઉદ્યોગો શરૂ રાખવા કે બંધ તે અંગે નિર્ણય લેવા ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં મંત્રી કુમાર કાનાની, સાંસદ સીઆર પાટીલ અને મેયર જગદીશ પટેલ પણ મીટિંગમાં ઉપસ્થિત રહ્યાં હતા.

હીરા અગ્રણીઓ મીટિંગમાં કોરોના મહામારી વચ્ચે કઈ રીતે ઉદ્યોગ ચાલુ રાખી શકાય તે અંગે વાતચીત કરી હતી. 7 દિવસ આવતીકાલે પૂર્ણ થાય છે. તેઓએ જણાવ્યું કે, અધિકારી સાથે 1 વાગ્યે મીટીંગ કરી નિર્ણય થશે. હીરા ઉદ્યોગ નવી ગાઈડલાઇન સાથે શરૂ થશે. આ ગાઈડલાઇનનું કડકપણે પાલન કરવું પડશે.

મીડિયા સાથે વાતચીત કરતા આરોગ્યમંત્રી કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ વધતા કેવી તૈયારીઓ છે અને કેવી રીતે સંક્રમણ ઓછુ કરી શકાય તેની ચર્ચા, વિચારણા અને આયોજન માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમને સ્પષ્ટ વાત કરી છે કે, હીરાના કારખાના અને ટેક્સટાઈલ ઉદ્યોગ ચલાવો જોઈએ અને તેની સાથે સંક્રમણ ન થાય તે બાબતે પણ તેમને ભાર મૂકયો છે. એટલે ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગના અગ્રણીઓની સાથે બેઠક કરીની ચર્ચા કરી છે કે, કેવી રીતે ઉદ્યોગો શરૂ કરી શકાય.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને કારખાના શરૂ થયા અને કારખાના શરૂ થયા પછી સંક્રમણ ન વધે તેના માટેના પ્રયાસ અમે કરી રહ્યા છીએ. હીરા ઉદ્યોગ સાત દિવસ માટે બંધ હતો. કાલે સાત દિવસ પૂરા થાય છે. બઘા કારખાનેદારો પાસેથી સૂચનો અને બાંહેધરી મળી છે અને કારખાના શરૂ કરવાની તેમને તૈયારી બતાવી છે. મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે હીરાના કારખાનેદારોએ આપેલા સૂચનો બાબતે ચર્ચા કરીને નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *