22 વર્ષની યુવતી 17 વર્ષના સગીરને ભગાડી ગઈ, બંનેએ નવ દિવસમાં આટલી વાર બાંધ્યા શારીરિક સંબંધ અને…

આજકાલ પ્રેમી પંખીડાઓના ભાગી જવાના કિસ્સા ઘણા સામે આવતા હોય છે. આ દરમિયાન નવ દિવસ પહેલાં 17 વર્ષીય સગીરને સાથે કામ કરતી 22 વર્ષીય યુવતી ભગાડી જવાના કિસ્સામાં આંકલાવ પોલીસ દ્વારા ટેક્નિકલ સોર્સના આધારે બંને જણાને સુરતના વરાછા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલમાં પોલીસ દ્વારા યુવતી અને યુવક બંનેના રિપોર્ટ મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જો બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હોવાનું મેડિકલ તપાસમાં ખૂલશે તો યુવતી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધાશે. જે આણંદના સમગ્ર ઈતિહાસમાં પ્રથમ ઘટના બનશે.

મળતી માહિતી મુજબ, આંકલાવ તાલુકાના રામપુરા ગામે ગાયત્રીબેન મગનભાઈ સોલંકી રહે છે. અને તેઓ આંકલાવની એક નર્સરીમાં કામ કરતી હતી. જ્યાં તે 17 વર્ષીય સગીરના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ આ પરિચય પ્રેમમાં ફેરવાયો હતો. અને તે ગત પહેલી જૂનના રોજ સગીરને પટાવી-ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગઈ હતી.

આ ઘટના અંગે પરિવારજનોની તપાસમાં સગીરને યુવતી ભગાડી ગઈ હોવાનુું ખૂલતાં તેમણે ગાયત્રી સોલંકી વિરુદ્ધ આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન બીજી બાજુ પોલીસ દ્વારા બંનેના મોબાઈલ ફોનના કોલ-ડિટેઈલ અને લોકેશનના આધારે તે સુરતમાં હોવાનો ખુલાસો થયો હતો. જેથી પોલીસ દ્વારા બંનેને સુરતના વરાછામાંથી ઝડપી પાડવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત પોલીસ તપાસમાં યુવતી રૂપિયા સાતથી આઠ હજાર અને કિશોર પાંચ હજાર રૂપિયા લઈને ઘરેથી નીકળી ગયાં હતાં. બંને જણા ઘર ભાડે રાખીને રહેતાં હતાં. યુવતી ઘરે જ હતી, જ્યારે સગીર છેલ્લા એક અઠવાડિયાથી નોકરી પર લાગ્યો હોવાનું સામે આવ્યું હતું. હાલમાં પોલીસ દ્વારા બંને જણાને પોલીસ નજર હેઠળ આંકલાવ પોલીસ સ્ટેશનમાં કેદ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત બંનેને જ્યારે ઝડપી પાડ્યા ત્યારે બંને જણા સુરતમાં એક ઘર ભાડે રાખીને રહેતાં હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, તેમણે રૂપિયા બે હજાર ઘર ભાડા પૈકી, રૂપિયા છ હજાર એમ ત્રણ મહિનાનું એડવાન્સ ભાડું આપી દીધું હતું. આ ભાડું યુવતીએ ચૂકવ્યું હતું. આ પ્રકારના કિસ્સામાં જ્યારે ભોગ બનનારી યુવતી હોય ત્યારે મહિલા પોલીસ પૂછપરછ કરતી હોય છે. પરંતુ, અહીં યુવતી પુખ્ત વયની હતી, જ્યારે પ્રેમી સગીર વયનો હોવાથી યુવતી સામે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. અને જો બંને વચ્ચે શારીરિક સંબંધ સાબિત થશે તો ગાયત્રી સામે કિશોરનું જાતીય શોષણ કરવાનો ગુનો પણ નોંધવામાં આવશે.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, જયારે બંને જણ ભાગ્યાં ત્યારે કિશોરની વય 17 વર્ષ, 11 મહિના અને 26 દિવસની હતી, જ્યારે પાછાં આવ્યાં ત્યારે તે 18 વર્ષનો થઇ ગયો છે. પૂછપરછ કરતા બંનેએ નવ દિવસમાં બે વાર શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું હતું. બીજી બાજુ યુવતીએ પણ તે સગીરને પ્રેમ કરતી હોવાથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આ બધા વચ્ચે વધુ એક વાત સામે આવી હતી જેમાં ગાયત્રી સોલંકીએ અમદાવાદ ખાતે બે વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા, પરંતુ બે દિવસ રહ્યા બાદ તે ઘરમાંથી માલ-સામાન લૂંટીને આવી હતી. એ પછી તેણે એ જ રીતે બીજા લગ્ન પણ કર્યા હતા, જે ટક્યા નહોતા.

આ સમગ્ર બાબતે પોક્સો એક્ટ 2012 સેક્શન 11 પ્રમાણે, બાળક પર જાતીય સતામણીનો ભોગ બનાવવાના કિસ્સામાં જે-તે આરોપી વિરુદ્ધ ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. સતામણી, હુમલો તેમજ પોર્નોગ્રાફીથી બચાવવા એકટ બનાવવામાં આવ્યો હતો, જેમાં 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના તમામને બાળક જ ગણવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *