રાજકોટમાં સગા ભાઈએ જ બહેન-બનેવીને સરાજાહેર છરીના ઘા જીંકી પતાવી દીધા- કારણ જાણી…

રાજકોટના ઉપલેટા તાલુકામાં કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે. એક સગા ભાઇએ જ તેની બહેન અને બનેવીની સરાજાહેર છરીના ઘા ઝીકી હત્યા કરી નાંખી છે.…

રાજકોટના ઉપલેટા તાલુકામાં કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે. એક સગા ભાઇએ જ તેની બહેન અને બનેવીની સરાજાહેર છરીના ઘા ઝીકી હત્યા કરી નાંખી છે. એક સાથે ડબલ મર્ડરની ઘટના બનતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, 6 મહિના પહેલા બહેને પ્રેમલગ્ન કરી લીધા હતા. આજથી છ મહિના પહેલા જ ભાઈને પ્રેમ લગ્ન પર ખાર હતો, પરંતુ આજે સગા ભાઇએ જ બહેન અને બનેવીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા હતા.

સગો ભાઈ બહેન બનેવી પર કાળ બનીને તૂટી પડ્યો
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ઉપલેટાની જીગરીયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામ ના અનિલ મનસુખભાઈ મહિડા અને અરણી ગામની રહેવાસી હિના સોમજીભાઈ સિંગરખીયા વચ્ચે પ્રેમ સંબંધ બાંઘ્યો હતો. હીનાના ભાઈએ સરાજાહેર બંનેની હત્યા કરી નાખી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસ પહોંચતા જ બંનેના મૃતદેહ જોઈને ચોંકી ઉઠી, ત્યારબાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હત્યારા સુનિલને પકડવા તજવીજ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 1 વર્ષ પહેલા હિના ખીરસરા ગામના રહેવાસી અનિલ સાથે પ્રેમલગ્ન કરવા પહોંચી હતી. તે દરમિયાન યોગ્ય ઉંમર ન હોવાથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં હિનાએ ઝેર ગટગટાવી લીધું હતું. હીનાની એક જ જીદ હતી કે મારે અનિલને જ પરણવું છે. પરંતુ પરિવારે ના પાડી હતી. સાથોસાથ પોલીસે જણાવ્યું છે કે, છ મહિના પહેલાં જ હિનાએ અનિલ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *