ખુશીના સમાચાર: ભયંકર મંદીના કારણે મોદી સરકાર આ મોટા ટેક્સ નાબૂદ કરશે. જાણો વિગતે

આ મંદીના માહોલમાં લોકો ખુબ જ મુશ્કેલીમાં છે. અને લોકો બેરોજગાર બની રહ્યા છે. અને આવા સમયે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી એ ખુશીના સમાચાર આપ્યા…

આ મંદીના માહોલમાં લોકો ખુબ જ મુશ્કેલીમાં છે. અને લોકો બેરોજગાર બની રહ્યા છે. અને આવા સમયે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી એ ખુશીના સમાચાર આપ્યા છે.

મોદી સરકાર ભારતીય કંપનીઓને મોટી રાહત આપવા માટે બે મોટા કર ઘટાડવાનો નિર્ણય લઈ શકે તેવી સંભાવના છે. જાણકારી અનુસાર, મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ (MAT) અને ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ (DDT) ને હટાવવા માટે ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવી શકે છે. ડાયરેક્ટ ટેક્સના સુધારણા સંબંધિત રિપોર્ટ 19 ઓગસ્ટે સરકારને સુપરત કરવામાં આવશે. તેમાં કમાણી પરના ડબલ ટેક્સ ભારને દૂર કરવા જેવી મહત્વપૂર્ણ ભલામણો છે. જીએસટી લાવીને સરકારે પહેલેથી જ પરોક્ષ કર સુધારણા લાગુ કર્યા છે. જો DDT હટાવવામાં આવે તો સામાન્ય રોકાણકારોને પણ મોટો ફાયદો થશે.

નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર ટાસ્ક ફોર્સ આ અહેવાલમાં ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ (DDT) ને સંપૂર્ણ રીતે હટાવવાની ભલામણ કરી શકે છે. જ્યારે કંપનીઓ ડિવિડન્ડ આપે છે ત્યારે 15 ટકા DDT વસૂલવામાં આવે છે. DDT દ્વારા 12 ટકા સરચાર્જ અને 3 ટકા શિક્ષણ સેસ વસૂલવામાં આવે છે. આ રીતે DDTનો અસરકારક દર 20.35 ટકા છે.

મળેલી જાણકારી અનુસાર, આ ટાસ્ક ફોર્સ ન્યૂનતમ વૈકલ્પિક ટેક્સને સંપૂર્ણ રીતે દૂર કરવાની ભલામણ પણ કરી શકે છે. કંપનીના નફા પર 18.5 ટકા MAT વસૂલવામાં આવે છે. આવકવેરા અધિનિયમની કલમ 115JB હેઠળ MAT લાગુ છે. આ સિવાય, કોર્પોરેટ ટેક્સના દરમાં 25 ટકા અને આવકવેરાના દર અને સ્લેબમાં મોટા ફેરફારની ભલામણ પણ કરી શકાય છે.

ભારતીય કંપનીઓએ તેમના શેરધારકોને ડિવિડન્ડ આપતા પહેલા 15% ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ (DDT) ચૂકવવો પડે છે. ભારત સરકાર કંપનીઓ પર આ ટેક્સ લગાવે છે. નાણાકીય વર્ષમાં ઘરેલું કંપની પાસેથી મળેલા 10 લાખ રૂપિયા સુધીના ડિવિડન્ડને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. એટલે કે, રોકાણકારે તેના પર ટેક્સ ભરવો પડતો નથી. વિદેશી કંપનીને તેના શેરધારકોને ચૂકવવામાં આવતા ડિવિડન્ડ પર ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ ભરવામાં છૂટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *