દુબઈમાં પહેલી વાર શ્રી હનુમાન ચરિત્ર કથા: સાળંગપુરના હરિપ્રકાશદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે

આજથી દુબઈમાં હરિપ્રકાશદાસજી સ્વામીની શ્રી હનુમાન ચરિત્ર કથા (Dubai Shree Hanuman Charitra katha ) યોજાશે. આ માટે હરિપ્રકાશદાસજી સ્વામી, સાળંગપુરના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામી, કીર્તન…

આજથી દુબઈમાં હરિપ્રકાશદાસજી સ્વામીની શ્રી હનુમાન ચરિત્ર કથા (Dubai Shree Hanuman Charitra katha
) યોજાશે. આ માટે હરિપ્રકાશદાસજી સ્વામી, સાળંગપુરના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામી, કીર્તન સ્વામી, નિલકંઠ ભગત અને અન્ય એક પાર્ષદ ભગત સહિતના સંતો દુબઈ પહોંચી ગયા છે. આજે કથાનો પહેલો દિવસ છે. જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ કથા શ્રવણ માટે ઉમટ્યા છે.

Dubai Shree Hanuman Charitra katha

દુબઈમાં શ્રી હનુમાન ચરિત્ર કથા તારીખ 26થી 28 એપ્રિલના રોજ યોજાઈ રહી છે. જેનો સમય સવારના 8.30થી 11.30નો હશે.

આ કથાનું સ્થળ હોલિડે ઈન્ટરનેશનલ હોટેલ-એમ્બેસી ડિસ્ટ્રિક્ટ બુર્જમાન મેટ્રો સ્ટેશન એક્ઝઇટ- 4, ખાલેદ બિન અલ વાલીદ બિલ્ડિંગ, 20મી સેન્ટ, બુર દુબઈ, અલ હમરિયા, દુબઈ છે.