મુખ્યમંત્રીનો આદેશ- સોમવારથી ગુજરાતની સરકારી કે પ્રાઈવેટ શાળાનું શિક્ષણ બંધ

છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધારે સમયથી કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આવા સમયમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યનમાં લઈ શાળા-કોલેજો બંધ થયા એને વર્ષ થવાં…

છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધારે સમયથી કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આવા સમયમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યનમાં લઈ શાળા-કોલેજો બંધ થયા એને વર્ષ થવાં આવ્યું છે એમ છતાં હજુ સુધી શાળા-કોલેજોની શરૂઆત કરવાની કોઈ તારીખ આપવામાં આવી નથી.

આ નિર્ણય શાળાઓમાં વર્ગ ખંડ શિક્ષણ એટલેકે ઓફ લાઈન શિક્ષણ માટે છે. ઓન લાઈન શિક્ષણ ચાલુ રહેશે.

બાળકોને ઓનલાઈન મારફતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની મીટીંગમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય પ્રમાણે સમગ્ર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીને ધ્યાનમાં રાખતા ધોરણ 1 થી 9 ની બધી જ શાળાઓમાં સોમવાર 5 એપ્રિલ થી અન્ય સૂચનાઓ અથવા તો આદેશ ન આવે ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે. સમગ્ર રાજ્યની સરકારી તેમજ ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે

સમગ્ર રાજ્યમાં દિવસેને દિવસે કોરોના મહામારીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર શરુ થઈ ચુકી છે. એવું માનવામાં આવી રહ્યું છે, પહેલી લ્હેર કરતાં હાલમાં ચાલી રહેલ બીજી લ્હેર ખુબ ભયંકર સાબિત થઈ શકે છે. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *