આ યોજના હેઠળ મોટી ઉંમરના લોકોને બેઠા બેઠા મળશે 36 હજાર રૂપિયાનું પેન્શન- જાણો A to Z માહિતી

હાલ જો તમે પીએમ કિસાન સન્માન નિધિ (Pradhan Mantri Kisan Samman Nidhi) સાથે જોડાયેલા છો તો તમને ઘણો ફાયદો થશે. મોદી સરકારે હવે નવી PM કિસાન માનધન યોજના (Pradhan Mantri Shram Yogi Maandhan Yojana) શરૂ કરી છે, જેનો તમે મોટા પાયે લાભ લઈ શકો છો. આ યોજના સાથે જોડાયેલા લોકોને હવે દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. મળતી માહિતી અનુસાર PM કિસાન સન્માન નિધિ યોજનાના 11 કરોડથી વધુ ખેડૂતોને હપ્તા મળી રહ્યા છે, કેન્દ્ર સરકાર PM કિસાનના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અને PM કિસાન માનધન યોજનાનો લાભ આપી રહી છે.

માનધન યોજના માટે કોઈ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. તે જ સમયે, તેમાં જોડાવાથી, તમે ખિસ્સામાંથી ખર્ચ કર્યા વિના વાર્ષિક 36000 મેળવી શકો છો. પીએમ કિસાન માનધન યોજના હેઠળ નાના ખેડૂતોને દર મહિને પેન્શન આપવાની યોજના છે. જેમાં 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા એટલે કે વાર્ષિક 36000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. જો કોઈ ખેડૂત પીએમ-કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યો છે, તો તેણે પીએમ કિસાન માનધન યોજના માટે કોઈ દસ્તાવેજ આપવાના રહેશે નહીં.

પીએમ-કિસાન યોજનામાંથી મળેલા લાભો માંથી સીધા યોગદાન આપવાનું પસંદ કરવાનો વિકલ્પ છે. આ રીતે ખેડૂતે પોતાના ખિસ્સામાંથી સીધા પૈસા ખર્ચવા પડશે નહીં. 6000, તેનું પ્રીમિયમ પણ કાપવામાં આવશે. ખેડૂતને ખિસ્સામાંથી ખર્ચ કર્યા વિના વાર્ષિક 36000 અને કેટલાક હપ્તા પણ અલગથી મળશે. કિસાન માનધન યોજના હેઠળ, 18-40 વર્ષ સુધીનો કોઈપણ ખેડૂત તેમાં નોંધણી કરાવી શકે છે. જો કે, મહત્તમ 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતો જ આ યોજનાનો લાભ લઈ શકશે.

આ યોજનાનો લાભ મેળવનારે ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ માટે સ્કીમ હેઠળ 55 થી 200 રૂપિયાનું માસિક યોગદાન આપવું પડશે. જો તમે 18 વર્ષની ઉંમરે જોડાશો તો માસિક યોગદાન 55 રૂપિયા પ્રતિ માસ થશે. જો તમે 30 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાઓ છો, તો દર મહિને 110 રૂપિયાનું યોગદાન આપવાના રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *