ભર ઉનાળે ગુજરાતીઓને મળશે વરસાદનું સુખ, ખેડૂતોને આવશે આસમાની દુખ

ઉનાળા (Summer)ની શરૂવાતથી જ ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે પણ તાપમાન ખુબ જ ઊંચું નોંધવામાં આવે છે. આ ઉનાળાએ દર વર્ષનો રેકોર્ડ તોડ્યો…

ઉનાળા (Summer)ની શરૂવાતથી જ ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે પણ તાપમાન ખુબ જ ઊંચું નોંધવામાં આવે છે. આ ઉનાળાએ દર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે હવે ગુજરાત (Gujarat)માં ભરઉનાળે હવામાન વિભાગે(Meteorological Department) વરસાદની આગાહી કરી છે. આ આગાહીએ દરેકને ચિંતામાં મુક્યા છે, તેમાં પણ ખાસ કરીને ખેડૂતોને. આગાહીમા કહેવામા આવ્યુ છે કે સૌરાષ્ટ્ર (Saurashtra)માં 20 અને 21 એપ્રિલ પવન સાથે વરસાદ(Rain) પડી શકે છે.

આજે વહેલી સવારે રાજકોટમાં ઘટાઘૂમ વાદળો છવાયેલા પણ જોવા મળ્યા અને અમુક વિસ્તારોમાં છાંટા પણ પડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બીજી તરફ માર્કેટ યાર્ડમાં ઘઉં, ચણા, લસણ, મગફળી, કપાસ જેવા ખેડૂતોના પાક ખુલ્લા પડ્યા છે જે હવે ખેડૂતો માટે ખુબ જ ગંભીર વિષય બની ગયો છે. ગોંડલમાં છાટા પડતા યાર્ડમાં ડુંગળી, મગફળી, ચણા અને મરચાની બે દિવસ આવક બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ ખેડૂતોને યાર્ડમા ખુલ્લામાં તૈયાર પાક ન ઉતારવા માટેની સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, જસદણ પંથકમાં આજે વહેલી સવારથી વાતાવરણમા પલાટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 20 એપ્રિલે ભરૂચ, વડોદરા, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા અને રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શકયતાઓ છે. આ ભરઉનાળે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહીએ દરેકની ચિંતા વધારી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *