ગિરિરાજની પરિક્રમા કરીને ઘરે પાછા આવતા પરિવારને નડ્યો અક્સ્માત- એક ભૂલના કારણે પાંચ લોકોએ ગુમાવ્યો જીવ

રાજસ્થાન: હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. ત્યારે રાજસ્થાનના માલાખેડાના એક ગામના પરિવારના એક સાથે ૮ લોકો ગોવર્ધન ફરવા માટે ગયા હતા અને એ વખતે આ બધા જ સભ્યો રવિવારે તેમની કારમા ઘરે પરત આવી રહ્યા હતા એ વખતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, આ પરિવાર તેમની કારમાં બેસીને તેમના ઘરે આવી રહ્યો હતો અને એ વખતે તેમની કાર એક ટ્રોલી સાથે ટકરાઈ ગઈ હતી. આ બનાવમાં કારના ચાલકને ઊંઘ આવી જતા તેના સ્ટેરીંગ ઉપરનો કાબુ તેને ગુમાવ્યો હતો અને આ કાર સીધી ટ્રોલી સાથે ટકરાઈ ગઈ હતી.

આ કારની ટ્રકના ટ્રોલી સાથે એવી જોરદાર ટક્કર થઇ હતી કે, તેનો અવાજ સાંભળતાની સાથે જ લોકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા. આ બનાવમાં એક બાળક અને એક મહિલા સહિત ૫ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં જ બીજા ૩ લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ અકસ્માતમાં જે લોકોને ઈજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે પોલીસને માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી. પરિવાર ઘરે પહોંચવાની તૈયારીમાં જ હતો અને તે પહેલા આ દુઃખદ બનાવ બની ગયો જેથી સગા-સબધીઓમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *