પહેલા કર્ણાટક પછી ગુજરાત, મહારાષ્ટ્ર અને હવે અહિયાં સામે આવ્યો ઓમિક્રોનનો 5મો કેસ- મચ્યો હાહાકાર

કોરોના વાયરસ(Corona virus)ના નવા પ્રકાર Omicronએ દિલ્હીમાં દસ્તક આપી છે. દિલ્હી(Delhi)ના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન(Satyendra Jain)ના જણાવ્યા અનુસાર, એલએનજેપી હોસ્પિટલમાં કોરોનાના નવા પ્રકારનો પહેલો કેસ…

કોરોના વાયરસ(Corona virus)ના નવા પ્રકાર Omicronએ દિલ્હીમાં દસ્તક આપી છે. દિલ્હી(Delhi)ના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન(Satyendra Jain)ના જણાવ્યા અનુસાર, એલએનજેપી હોસ્પિટલમાં કોરોનાના નવા પ્રકારનો પહેલો કેસ સામે આવ્યો છે. આ દર્દી તાન્ઝાનિયાથી પરત ફર્યો હતો. અમે આ દર્દીને અલગ વોર્ડમાં આઈસોલેટ કર્યો છે. આ સાથે, તેમણે કહ્યું કે અત્યાર સુધી કોરોના પોઝિટિવ મળી આવેલા તમામ 17 દર્દીઓ એલએનજેપી હોસ્પિટલમાં દાખલ છે, જેમાં તેમના સંપર્કમાં રહેલા 6 દર્દીઓનો સમાવેશ થાય છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, અત્યાર સુધીમાં 12 લોકોનો જીનોમ સિક્વન્સિંગ થયો છે, જેમાંથી 1 ઓમિક્રોનનો દર્દી હોવાનું જણાય છે. જો કે અંતિમ રિપોર્ટ આવતીકાલે એટલે કે સોમવારે આવશે. તેમણે એમ પણ કહ્યું, ‘અમે કહી શકીએ કે દિલ્હીમાં આ પહેલો ઓમિક્રોન કેસ છે. સત્યેન્દ્ર જૈને કહ્યું કે, જેઓ બહારથી આવી રહ્યા છે તેમની તપાસ કરવામાં આવી રહી છે.

દેશમાં પ્રથમ ઓમિક્રોન કેસ કર્ણાટકમાં જોવા મળ્યો:
ભારતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ 66 વર્ષીય દક્ષિણ આફ્રિકાના નાગરિકમાં જોવા મળ્યો હતો જેણે હવે ભારત છોડી દીધું છે. આ વ્યક્તિ 20 નવેમ્બરના રોજ બેંગલુરુ પહોંચ્યો હતો અને એરપોર્ટ પર તેની તપાસ કર્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી 23 નવેમ્બરે તેનું પરિણામ નેગેટિવ આવ્યું હતું. જોકે આ દરમિયાન તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ મોકલવામાં આવ્યા હતા, પરંતુ રિપોર્ટ (ઓમિક્રોન પોઝિટિવ) આવે ત્યાં સુધીમાં તે દેશ છોડી ચૂક્યો હતો. તે જ સમયે, ઓમિક્રોનનો બીજો દર્દી પણ કર્ણાટકમાં મળી આવ્યો હતો. એક 46 વર્ષીય ડૉક્ટર આ પ્રકારથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે, જેનો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

તે જ સમયે, દેશમાં ઓમિક્રોનનો ત્રીજો કેસ ઝિમ્બાબ્વેથી ગુજરાતના જામનગર પહોંચેલા 72 વર્ષીય વ્યક્તિમાં જોવા મળ્યો હતો. તે 28 નવેમ્બરે આવ્યો હતો અને 2 ડિસેમ્બરે ઓમિક્રોનથી ચેપ લાગ્યો હતો. જ્યારે ચોથો કિસ્સો 33 વર્ષીય મરીન એન્જિનિયરમાં જોવા મળ્યો હતો. તે એપ્રિલથી જહાજ પર હતો, તેથી તેને રસી આપવામાં આવી નથી. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ આ માહિતી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *