ગોઝારા અકસ્માતમાં પડીકું વળી ગઈ કાર, એક જ પરિવારના પાંચ લોકોના મોત- દ્રશ્યો જોઇને કંપી ઉઠશે કાળજું

ગુજરાત(Gujarat): રાજ્યમાં વારંવાર અકસ્માત(Accident)ની ઘટના બનતી હોય છે. વાહન ચાલકો ટ્રાફિક અને RTO વિભાગના નિયમો જાણે નેવે મુકી ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક વાહનની ઓવર સ્પીડના કારણે તો ક્યાંય વાહનની ટેકનીકલ ખામીના કારણે દર્દનાક અકસ્માત સર્જાય છે. ત્યારે આવો જ એક કાળમુખો અકસ્માત ભાવનગર-અમદાવાદ(Bhavnagar-Ahmedabad) શોર્ટ રૂટ પર સર્જાયો છે, કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત(Five people died) થયા છે.

પાંચ લોકોના મોતથી લોહીલુહાણ થયો હાઈવે:
મહત્વનું છે કે, કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા કાર સવાર પાંચ લોકોના મૃત્યુ થયા છે. જો વાત કરવામાં આવે તો ભાલ વિસ્તારના અધેલાઈ ચોકડી નજીક દર્દનાક અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ભોગ બનેલો પરિવાર અમદાવાદનો હોવાની માહિતી મળી રહી છે.

અકસ્માતમાં કારમાં સવાર 10 વર્ષના બાળક, પુરુષ, મહિલાઓ સહિત 5ના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત:
જો વાત કરવામાં આવે તો અમદાવાદના વિરાટનગરનો પરિવાર પાલિતાણાથી દર્શન કરીને અમદાવાદ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વર્ષના બાળક, પુરુષ, મહિલાઓ સહિત 5ના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આ દર્દનાક અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ગોઝારા અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. સ્થાનિક પોલીસ દ્વારા આવીને જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર આ પરિવાર અમદાવાદના વિરાટનગરના હતા. તેઓ પાલિતાણા મહાતીર્થે દર્શન કરી અને અમદાવાદ પરત ફરી રહ્યા હતા. આ અંગે ઘટનાસ્થળેથી એક આધારકાર્ડ પણ મળી આવ્યું  છે તેમાં મહાવીર કુમાર રતનલાલ જૈન નામ લખેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *