પદ્મશ્રી સવજી ધોળકિયાએ બનાવેલા દુધાળા નારણ સરોવરમાં પાંચ કિશોરો ડૂબ્યા- એક જ ગામમાં નીકળશે 5 સ્મશાનયાત્રા

અમરેલી(ગુજરાત): તાજેતરમાં જ અમરેલી(Amreli)માંથી એક ચક્ચારો બનાવ સામે આવ્યો છે. જેમાં લાઠી(lathi) નજીકના દુધાળા(Dudhala) ગામના નારાયણ સરોવર(Narayan Sarovar)માં બપોરે એક વાગ્યાના અરસામાં પાંચ કિશોરો ન્હાવા આવ્યા હતા. આ દરમિયાન, કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. જેથી તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન આ તમામ કિશોરોના મૃતદેહ મળી આવ્યા છે. આ કિશોરોના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.

મળતી માહિતી મુજબ, લાઠીના દુધલા ગામ નજીક આવેલા નારાયણ સરોવરમાં ન્હાવા પડતા પાંચ કિશોરોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ત્યારબાદ તંત્રના અધિકારીઓ સહિત તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. હાલમાં આ તમામ કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. ઇન્ચાર્જ મામલતદાર સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ સાથે શહેરના અગ્રણી સેવાભાવી લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તરવૈયાઓ દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન તમામના મૃતદેહ મળી આવ્યા છે.

મૃતકોના નામ
નમનભાઈ અજયભાઇ ડાભી, ઉંમર વર્ષ 16
મિત ભાવેશભાઈ ગળથીયા, ઉંમર વર્ષ 17

રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ, ઉંમર વર્ષ 16
હરેશભાઇ મથુરભાઈ મોરી, ઉમર વર્ષ 18
વિશાલભાઈ મનીષભાઈ મેર, ઉંમર વર્ષ 16

મળતી માહિતી મુજબ, આ તમામ લાઠી શહેરના રહેવાસી છે. દુધાળા ખાતે આવેલા તળાવમાં ન્હાવા પડતા તમામ કિશોરો ડૂબી ગયા હતા. જેથી તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તમામના મૃતદેહો મળી આવ્યા છે. જેને લઈ તેઓના પરિવારજનોમાં કલ્પાંત છવાયો છે.

પદ્મશ્રી સવજી ધોળકિયા નિર્મિત હેતની હવેલી દુધાળા ખાતે આવેલ તળાવ માં ન્હાવા પડતા ડૂબી ગયેલ હોય જે બનાવ ની જાણ બપોરે 1:13 વાગ્યે થતા તાત્કાલિક બનાવ સ્થળ ઉપર પહોંચેલ અને હાલ બનાવ બાબતે બોડી ની શોધખોળ શરુ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *