સુરતમાં બંધ મકાનના ભોંયરામાંથી મળી આવેલ મહિલાના મૃતદેહ કેસમાં નવો વળાંક- શકમંદ યુવાનની તપાસ શરુ 

સુરતમાં એક વર્ષોથી બંધ મકાનના ભોંયરામાંથી ડેડબોડી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના ઝાંપાબજાર વિસ્તારની છે. ઘટનાની જાન થતા જ પોલીસ…

સુરતમાં એક વર્ષોથી બંધ મકાનના ભોંયરામાંથી ડેડબોડી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના ઝાંપાબજાર વિસ્તારની છે. ઘટનાની જાન થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોચીને તપાસ શરુ કરી હતી. તપાસમાં ડેડબોડી માન દરવાજાની રહેવાસી શબાનાની હોવાનું સામે આવ્યું છે. તપાસમાં શબાનાનું ગળું દબાવીને હત્યા કરાઇ હોવાની વિગતો બહાર આવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે

પોલીસ ભોંયરામાંથી જેને શબાનાની લાશ મળી આવી હતી. ત્યાં તે વ્યક્તિ લગભગ 1 કલાક રોકાયો હોય એવું અનુમાન પણ કરાઈ રહ્યું છે. આજ વ્યક્તિ શબાનાની હત્યા કરી હોવાના તારણ સાથે પોલીસે વધુ શોધખોળ કરવા માટે ટીમને કામે લગાવી છે.

પોલીસે જણાવ્યું હતું કે, ઝાંપાબજારમાં રવિવારે સવારે અલ-ખલીલ ટી સેન્ટરની સામે વાઘેલા ચેમ્બર નામની બિલ્ડિંગના ભોંયરામાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. તેની ઓળખ માન દરવાજાની શાબાના જાવિદ મહેમુદ સૈયદ તરીકે થઇ હતી. પોસ્ટમોર્ટમમાં હત્યા કરાઇ હોવાનું સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો હતો.

વધુ તપાસ કરતા શબાના પરવટ પાટિયાથી નીકળીને ભાગળ ચાર રસ્તા પાસે રિક્ષામાંથી ઉતરતી અને એક અજાણ્યા યુવાન સાથે વાત કરતી દેખાયા બાદ ઝાંપાબજારના એક બંધ બિલ્ડિંગ સુધી પગપાળા જતી દેખાઇ હતી. આ યુવાન પણ તેની પાછળ પાછળ ચાલતો દેખાયો હતો. ભોંયરામાં 1 કલાક બાદ યુવક સીસીટીવીમાં એકલો નજરે ચડ્યો હતો. તેથી તેણે જ શબાનાની હત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. આરોપી હજુ પોલીસની ગીરફથી ફરાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *