અમદાવાદ-રાજકોટ હાઈવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, 4 લોકોને ભરખી ગયો કાળ- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદ-રાજકોટ હાઈવે(Ahmedabad-Rajkot Highway) પર લીંબડી(Limbdi) પાસે એક રાજસ્થાન(Rajasthan) જઈ રહેલી કારને કાળમુખો અકસ્માત નડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાર અને બસ વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક સાથે 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થતાની સાથે જ લોકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા.

અકસ્માતના બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવકામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, કુલ ચાર લોકોના આ કરુણ અકસ્માતમાં મોત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા રહે છે અને આ કરુણ બનાવમાં નિર્દોષ વ્યક્તિઓને પણ પોતાનો જીવ ગુમાવવાનો વખત આવે છે. ઝડપની મજા મોતની સજા બનતા થોડી ક્ષણ પણ લગતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *