લગ્નની લાલચ આપીને યુવકે યુવતી સાથે કર્યું એવું કે, જાણીને…

રાજસ્થાનના જોધપુરમાં એક યુવકે સગાઈ બાદ તેના મંગેતર સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ તેના મંગેતરે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ કેસમાં યુવતીએ આરોપી યુવક સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

હકીકતમાં જોધપુર પોલીસ સ્ટેશનમાં નવેમ્બરમાં એક યુવતીએ શહેરના રાતાનાડા વિસ્તારમાં આવેલા ગેસ્ટહાઉસમાં  તેના પર થયેલા બળાત્કાર પર કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાએ આરોપી યુવક સાથે સગાઇ કરી હતી. તે જ સમયે, તેણે 29 નવેમ્બરના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ્ટહાઉસમાં બોલાવીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પરંતુ તે પછી યુવકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

આ કેસ બાદ, લાંબા સમય સુધી પરિવાર વચ્ચે વાતચીત ચાલુ રહી હતી. પરંતુ તે યુવક લગ્ન ન કરવા અંગે મક્કમ હતો. આ અંગે મહિલાએ તેના પર બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવી રાતાનાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.

થાણા રાતાનાડા એસએચઓ લીલારામએ જણાવ્યું હતું કે, યુવતી અને યુવકની ગયા વર્ષે સગાઈ થઈ હતી. આ દરમિયાન યુવતી તેના મંગેતરના કહેવા પર રાતાનાડા ગેસ્ટહાઉસ ગઈ હતી. મહિલાનો આરોપ છે કે, તેની મંગેતર તેને ત્યાં લઇ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

આટલું જ નહીં, તે પછી પણ બંનેની મુલાકાત ચાલુ રહી. પરંતુ લગ્નની તારીખ નજીક આવતા યુવકે યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. બાદમાં યુવકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી હતી. પોલીસે કલમ 376, 420 હેઠળ ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *