કારનું ટાયર ફાટતા સર્જાયો ગોઝારો અકસ્માત: કાર પલટી જતા એક જ પરિવારના બે બાળકોના મોત – ‘ઓમ શાંતિ’

અકસ્માત (accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જામનગર-ખંભાળિયા હાઈવે(Jamnagar-Khambhalia Highway) દાતા ગામના પાટિયા પાસે એક કારનું ટાયર ફાટતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટાયર ફતવાને કારણે કાર પલટી ગઈ હતી. જેમાં બે બાળકો સહિત 7 લોકોને નાની મોટી ઈજા થતા તમામને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલ (G.G.Hospital)માં ખસેડવામાં આવ્યા હતા. જ઼યાં બે બાળકોના મૃત્યુ નીપજ્યા હતા. એક સાથે બે બાળકોના મૃત્યુના સમાચાર મળતાની સાથે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, આ અકસ્માત ખંભાળીયા-જામનગર હાઇવે પર આવેલ દાતા ગામના પાટિયા પાસે આજે બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ સર્જાયો હતો. જેમાં એસઆરપી કેમ્પમાં ડ્રાઈવર કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા અજયસિંહ આર. ઝાલા, તેમના પત્ની મયુરીબા ઝાલા, નિરાલીબા જાડેજા, સોનાલીબા વાળા, ગિરીરાજસિંહ વાળા, દિવ્યરાજસિંહ ઝાલા અને હરદીપસિંહ વાળા સ્વીફટ કારમાં જતા હતા. આ દરમિયાન દાતાની ગોળાઈ પાસે અચાનક સ્વીફ્ટ કારનું ટાયર ફાટતા કાર રોડની નીચે ઉતરી જતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી.

આ ઘટનામાં બે નાના બાળકો સહિત છ લોકોને ઇજા થઇ હતી. જેના કારણે 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજા ગ્રસ્તોને ખંભાળીયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમની હાલત વધુ ગંભીર ગણાતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં બે બાળકો દિવ્યરાજસિંહ ઝાલા અને હરદીપસિંહ વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. એક પરિવારના બે બાળકોના મૃત્યુથી હાલ તેમના પરિવારની હાલત કફોડી બની છે. તેમજ શોકની લાગણી પ્રસરી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *