ગરબા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર: કોરોના વચ્ચે ગુજરાતમાં યોજાઇ શકે છે નવરાત્રી

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ વચ્ચે નવરાત્રીના ખેલૈયાઓ માટે આ વર્ષે નવરાત્રી કરવી મુશ્કેલ બની શકે છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાતના…

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ વચ્ચે નવરાત્રીના ખેલૈયાઓ માટે આ વર્ષે નવરાત્રી કરવી મુશ્કેલ બની શકે છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાતના ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં નવરાત્રિનું આગવું મહત્વ છે, ખેલૈયાઓ આ તહેવારની રાહ જોઈને બેઠા હોય છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે નવરાત્રિ કેન્સલ થવાનો ભય સતાવી રહ્યો હતો. પરંતુ આજે ખેલૈયાઓના ચહેરા પણ ખુશી જોવા મળે તેવા એક આનંદના સમાચાર મળી રહ્યા છે. કોરોનામાં બનાવેલ ગાઈડલાઈન્સના નિયમોનું પાલન સાથે નવરાત્રિ આયોજનની છૂટ મળી શકે છે, તેવા આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

અગામી 17મી ઓકટોબરથી શરૂ થનારી નવરાત્રિના આયોજન માટે રાજ્ય સરકારે હજી સુધી કોઇ નિર્ણય કર્યો નથી. જોકે, સરકાર યોગ્ય સમયે વિચાર કરીને નિર્ણય લેવાની દિશામાં પ્રયાસ કરી રહી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેલૈયા નવરાત્રિની કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યારે સરકાર આ અંગે વિચારણા કરશે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે, તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે. સરકાર કોવિડ 19ની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે વિચારી કરી રહી છે.

નોરતાના આયોગન અંગે સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરી નવરાત્રિ પહેલા જાહેરાત કરશેઃ નીતિન પટેલ
નવરાત્રી અંગે નીતિન પટેલે આગળ જણાવતા કહ્યું કે, જો કે આ અંગેનો નિર્ણય તો છેક નવરાત્રી આવશે ત્યારે લેવામાં આવશે. નવરાત્રિ પહેલા સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. શક્ય એટલી રાહત આપવા અંગે વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં નવરાત્રિને લઈને ખેલૈયા અને આયોજકો થનગનાટ જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે ભીડ ભેગી કરી શકાય તેમ નથી. પરંતુ એટલી હૈયા ધારણ રાખજો કે આ અંગે જે પણ નિર્ણય લેવાશે તે વિચારીને લેવાશે. કોરોના મહામારીમાં માતાજીના નોરતાનું આયોજન કેવી રીતે કરવું તે તમામ વિગતો ઉપર સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરીને નવરાત્રિ પહેલા જાહેરાત કરશે.

નવરાત્રિ ગાઈડ લાઈનમાં આ બાબતો ફરજિયાત થઈ શકે
આ ઉપરાંત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રિને છૂટ આપવાના સંકેત મુજબ આગળ જણાવતા કહ્યું કે, જો ગરબાની મંજૂરી આપવામાં આવશે તો થર્મલ સ્ક્રિનિંગ બાદ એન્ટ્રી અને ખેલૈયા માટે રેપિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી શકે છે. તેની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ, મેદાનની લંબાઇ, પહોળાઈ, માસ્ક કે ફેસશિલ્ડ પહેરી રમવું, નેપકીન ફરજિયાત, પાણીની બોટલ સાથે લઈ આવવા જેવી નવરાત્રિ ગાઇડ લાઇન આવી શકે છે.

નવરાત્રિ માટેની 5 સંભવિત શરતો

નવરાત્રિના નવ દિવસના બદલે 2 કે 3 દિવસ ની મંજૂરી આપી શકે.

ગરબામાં માત્ર 100 વ્યક્તિ સાથેની મંજૂરી આપી શકે.

ક્લબ કે પાર્ટી પ્લોટ સિવાય શેરી-સોસાયટી ગરબાને મંજૂરી આપવામાં આવી શકે.

શેરી કે સોસાયટીના ગરબા માટે માત્ર 2 કે 3 કલાકની જ મંજૂરી મળી શકે.

ગરબા માટે પોલીસની સાથે આરોગ્ય વિભાગની પણ મંજૂરી ફરજિયાત કરવામાં આવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *