ગુજરાત: હાઇ-વે પર કાર અકસ્માતમાં પાંચ મુસાફરના… જાણો વિગતે

ગુજરાત રાજ્યમાં દરરોજ કોઈનેકોઈ જગ્યાએ માર્ગ અકસ્માતમાં ઘણા બધા લોકોના મોત થાઈ છે અમદાવાદ જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવોએ માઝા મુકી છે ત્યારે લીંબડી-બગોદરા હાઈવે પર…

ગુજરાત રાજ્યમાં દરરોજ કોઈનેકોઈ જગ્યાએ માર્ગ અકસ્માતમાં ઘણા બધા લોકોના મોત થાઈ છે અમદાવાદ જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવોએ માઝા મુકી છે ત્યારે લીંબડી-બગોદરા હાઈવે પર બગોદરા ભોગાવો નદીના પુલના છેડે કાર પલટી મારી જતાં કારમાં સવાર પાંચ લોકોને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યારે આ અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી. લીંબડી-બગોદરા હાઈવે પર રાજકોટ તરફથી સુરત જતી કારના ચાલકે પોતાની કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બગોદરા પાસે આવેલ ભોગાવો નદીના પુલના છેડે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલટી મારી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, આ કારમાં સવાર પાંચ વ્યક્તિઓ ભગવતીબેન સોમજીભાઈ પટેલ, કલ્પનાબેન મનોજભાઈ પટેલ, પરષોત્તમભાઈ પુંજાભાઈ પટેલ, ઝવેરીભાઈ પરષોત્તમભાઈ પટેલ, મંજુલાબેન પરષોત્તમભાઈ પટેલ તમામ રહે.જલારામ સોસાયટી સુરતવાળાને સારવાર અર્થે બગોદરા ૧૦૮ના પાયલોટ પ્રેમજીભાઈ પરમાર ઈએમટી રોહન દુલેરા તથા ફેદરા 108ની મદદથી બગોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યાં હતાં. જે પૈકી બે વ્યક્તિની હાલત વધુ ગંભીર હોય સારવાર અર્થે અમદાવાદ હોસ્પીટલમાં ખસેડાયા હતાં જ્યારે આ બનાવની જાણ થતાં બગોદરા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *