રાજ્યમાં નવરાત્રિ આયોજનને લઈને મોટા સમાચાર, મંત્રી પ્રદિપસિંહનું આવ્યું નિવેદન

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ વચ્ચે નવરાત્રીના ખેલૈયાઓ માટે આ વર્ષે નવરાત્રી કરવી મુશ્કેલ બની શકે છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાતના…

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ વચ્ચે નવરાત્રીના ખેલૈયાઓ માટે આ વર્ષે નવરાત્રી કરવી મુશ્કેલ બની શકે છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાતના ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં નવરાત્રિનું આગવું મહત્વ છે, ખેલૈયાઓ આ તહેવારની રાહ જોઈને બેઠા હોય છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે નવરાત્રિ કેન્સલ થવાનો ભય સતાવી રહ્યો હતો. પરંતુ આજે ખેલૈયાઓના ચહેરા પણ ખુશી જોવા મળે તેવા એક આનંદના સમાચાર મળી રહ્યા છે.કોરોનામાં બનાવેલ ગાઈડલાઈન્સના નિયમોનું પાલન સાથે નવરાત્રિ આયોજનની છૂટ મળી શકે છે, તેવા આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં નવરાત્રી યોજવા મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે આ અંગે યોગ્ય સમયે વિચાર કરી નિર્ણય લેવામાં આવશે.

ખેલૈયાઓ નવરાત્રીના તહેવારની રાહ જોઈને બેઠા હોય છે. ત્યારે હાલમાં જ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નવરાત્રિ યોજવાને લઇને નિવેદન આપ્યું છે. ગૃહરાજ્ય મંત્રીએ કહ્યુંકે, નવરાત્રિ અંગે યોગ્ય સમયે વિચાર કરી નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકાર કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે કેવી રીતે ઉજવણી થાય તેના પર વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે.

આ વર્ષે કોરોનાના કારણે નવરાત્રીમાં સંખ્યા ઘટે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આયોજકોનું માનવું છે કે, ગરબા યોજવા અંગે નિર્ણય લેવાય તો પણ છેલ્લી ઘડીના નિર્ણયથી રાસ-ગરબા યોજવાનું અઘરું સાબિત થઈ શકે છે. સરકાર રાસ-ગરબાના આયોજનની મંજૂરી આપશે તો પણ ખેલૈયા ગરબા રમવા નહીં આવે તેવી દહેશતને કારણે પણ ઘણા આયોજકો રાસ-ગરબા યોજવાના મૂડમાં નથી. જોકે, થોડા દિવસ પહેલાં જ ગરબાને લઇને સરકાર મોટી જાહેરાત કરે તેવા સમાચારને લઇને અટકળો સામે આવી હતી. જેમાં રાજ્યના ગરબા ખેલૈયાઓને સારા સમાચાર મળી શકે છે. નવરાત્રીમાં ગરબા માટે સરકાર છૂટછાટ આપી શકે છે. નિયમો સાથે સરકાર આયોજનને છૂટછાટ આપી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રાજકોટના એક ગરબા આયોજકે પાસ બુકિંગની જાહેરાત કરી હોવાના કારણે આ અટકળો સામે આવી હતી.

હાલમાં રાજ્યભરમાં કોરોનાની મહામારીને લઇને હજુ પણ સરકાર દ્વારા સ્કૂલ, કોલેજે, સિનેમા હોલ વગેરેને લઇને છૂટછાટ આપવામાં આવી નથી. રાજ્યમાં હજી પણ મંદિરોમાં દર્શનને લઇને પણ છૂટછાટ આપવામાં આવી નથી. ત્યારે હાલમાં ગણેશચતુર્થી અને લોકમેળામાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી નથી. ત્યારે નવરાત્રીને લઇને ગરબાને લઇને છૂટછાટ આપવામાં આવશે કે નહી તે ગરબા ખૈલેયાઓમાં હાલ ચર્ચાનો વિષય બની જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *